જામનગરના મહાપ્રભુજીની બેઠકથી ઠેબા બાયપાસ કાલાવડ જતો રસ્તો બિલકુલગાડારોડ બની ગયો હોય તેવું દેખાઇ રહ્યું છે. દિવસ ઉગ્યાની સાથે જ રાત્રી સુધી આ રસ્તા ઉપર ખુબ જ ટ્રાફીક જોવામળે છે. વચ્ચેના ભાગમાં આવેલી રાકિા એડયુકરે સકુલમાં ૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે તેમને આવવા જવા માટેનો આ એકમાત્ર રસ્તો હોય અને શિક્ષકોનો ૫૦ થી વધારેનો સ્ટાફ ગાડીઓ લઇ આવ-જા કરે છે. એટલું જ નહીં આ રસ્તા પર નગર પ્રા.શાળા પણ આવેલી હોય, જેની સંખ્યા પણ ઘણી બધીછે અનેએ પણ આ જ રસ્તાનો ઉપયોગ કરતા હોયત્યારે રસ્તાઓ સાવ ખખડધજ બની ગયેલછે અને ચોમાસામાં તો ચાલી પણ શકાતું નથી. આ રસ્તા પર સ્કુલ બસ, સ્કુલ વેન, રીક્ષા કે ટુ વ્હીલર, બાઇક આવતા જતાં ખખડધજ થઇ જાયછે. અવાર નવાર એકસીડેન્ટના બનાવો બનતા હોય છે. જામનગરથી જુનાગઢ સુધી, રાજકોટ સુધી કે કાલાવડ સુધી જવા માટે આ રસ્તાનો ઉપયોગ થતો હોય છે. આ જ રસ્તા પર સકારી બસોની પણ અવર જવર થતી હોય છે પરંતુજયાં સુધી રસ્તો ખખડધજ છે ત્યારે રસ્તાને મરામતની ખાસ જરુરિયાત ઉભી થયેલછે અથવા તો રસ્તાને મોટો કરી રીપેરીંગ માંગી લે તેમ છે એટલે યશ એજયુ. એન્ડ ચે. ટ્રસ્ટના પ્રમુખ નિધિ પી. ભટ્ટ દ્વારા સરકાર પાસે તાત્કાલીક ધોરણે આ રસ્તાનેરીપેર કરાવી ઠીક કરાવી આપવા માંગણી કરીછે. એટલું જ નહીં જો ચોમાસા પહેલાં પણ આ રસ્તાનેરીપેર કરવા માટે ગંભીરતા દાખવવામાં નહીં આવે તો રસ્તા પર આવવું જવું બિલકુલ બંધ થઇ જશેઅને રાધિકા એડયુકેર સ્કુલ તેમજ નગરપ્રા. શાળાના વિદ્યાર્થીઓને સ્કુલે જવું મુશ્કેલ બની જાય તેમ છે. જેથી બાળકોના ભવિષ્ય સાથે સરકાર ચેડાં કરી રહીછે તેવું રસ્તાની હાલત પરથી દેખાઇ રહ્યું છે. તાત્કાલીક ધોરણે આ રસ્તાનું રીપેરીંગ શરુ કરવા યશ એજયુ. એન્ડ ચે. ટ્રસ્ટના પ્રમુખ દ્વારા કલેકટર તેમજ પી.ડબલ્યુ.ડી. કચેરી પાસે માંગણી ઉઠવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech