બોલિવુડ જગતમાંથી નિવૃત્તિ લેવાનો કિંગખાનનો નિર્દેશ?
લાંબા વિરામ બાદ શાહરૂખે ગયા વર્ષે ધમાકેદાર પુનરાગમન કર્યું હતું. તેણે પઠાણ, જવાન અને ડંકી જેવી 3 સુપરહિટ ફિલ્મો આપી.શાહરૂખે કહ્યું હજુ 30-35 વર્ષ સુધી નિવૃતિ નહીં લે પરંતુ તાજેતરમાં તેને એવું કહ્યું કે મારી છેલ્લી ફિલ્મ સૌને પસંદ આવે તેવી કરવાની ઇચ્છા છે. છેલ્લી ફિલ્મ માટે દર્શકોને અરબી-ઉર્દુ શીખી લેવા કહ્યું છે.
શાહરૂખ ખાન જ્યારે થોડા સમય માટે ફિલ્મોમાંથી બ્રેક લે છે ત્યારે ચાહકો નારાજ થઈ જાય છે. ચાહકો ઈચ્છે છે કે કિંગ ખાન ફિલ્મો કરતો રહે. હવે તાજેતરમાં જ શાહરૂખે તેના પ્રશંસકોને તેની નિવૃત્તિ મામલે એક સંદેશ આપ્યો છે.
શાહરૂખ ખાને તેની કારકિર્દીમાં અત્યાર સુધી ઘણી હિટ ફિલ્મો આપી છે. થોડા સમય પહેલા તેની ફિલ્મોનો જાદુ બોક્સ ઓફિસ પર ઓસરી ગયો હતો. જોકે, લાંબા વિરામ બાદ શાહરૂખે ગયા વર્ષે ધમાકેદાર પુનરાગમન કર્યું હતું. તેણે પઠાણ, જવાન અને ડંકી જેવી 3 સુપરહિટ ફિલ્મો આપી. હવે જ્યારે શાહરૂખને તાજેતરમાં તેની નિવૃત્તિ વિશે પૂછવામાં આવ્યું, તો જાણો કિંગ ખાને તેની છેલ્લી ફિલ્મ વિશે શું કહ્યું.
છેલ્લી ફિલ્મ કેવી હશે ?
શાહરૂખે કહ્યું, 'સૌથી પહેલા તો હું હજુ 30-35 વર્ષ સુધી ફિલ્મોમાં કામ કરવાનું નથી છોડવાનો. હું અત્યારે નિવૃત્તિ લેવાનું વિચારતો નથી. જોકે હું ઈચ્છું છું કે મારી છેલ્લી ફિલ્મ બધાને, આખી દુનિયાને પસંદ આવે. આ સમય દરમિયાન, તેણે દર્શકોને ઉર્દૂ અને અરબી શીખવાનું પણ કહ્યું છે જેથી તેઓ તેમની છેલ્લી ફિલ્મ સમજી શકે. શાહરૂખના નિવેદનથી સ્પષ્ટ છે કે અભિનેતા ઇચ્છે છે કે તેની છેલ્લી ફિલ્મ આખી દુનિયા સુધી પહોંચે અને દરેકને સમજાય.
ફિલ્મ રિલીઝ થતા પહેલા 2 કલાક સ્નાન કરે છે
કિંગ ખાને જણાવ્યું હતું કે તેની ફિલ્મ રિલીઝ થતા પહેલા તે 2 કે 2.5 કલાક સુધી સ્નાન કરે છે. તેણે કહ્યું, ભારતમાં ફિલ્મો શુક્રવાર કે ગુરુવારે સાંજે રિલીઝ થાય છે. તેથી ફિલ્મ રીલિઝ થાય તે પહેલા હું ઘરે 2 થી 2.5 કલાક સુધી સ્નાન કરી લઉં છું અને મારા બધા કામ કાઢી લઉં છું. આનાથી મને ખૂબ સારું લાગે છે.
આગામી પ્રોજેક્ટ
શાહરૂખ હવે કિંગ ફિલ્મમાં જોવા મળવાનો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ એક્શનથી ભરપૂર હશે. રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મમાં શાહરૂખની દીકરી સુહાના પણ હશે. જોકે અભિનેતાએ પોતે આ અંગે કોઈ માહિતી આપી નથી, પરંતુ હવે ચાહકો માત્ર કિંગ ખાનની જાહેરાતની રાહ જોઈ રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદર જિલ્લાનું ધોરણ ૧૦નું ૮૦.૪૨ ટકા પરિણામ થયુ જાહેર
May 08, 2025 03:06 PMવર્ગ-૪ના પાર્ટ ટાઈમ શ્રમયોગીની કાયમી થવાની અરજી લેબરકોર્ટ દ્વારા નામંજુર
May 08, 2025 03:04 PMરૂ. 15 લાખ 18 ટકા વ્યાજ સાથે મિત્રને સુપ્રત કરવા એસ્ટેટ બ્રોકરને કોર્ટનો હુકમ
May 08, 2025 03:00 PMહિન્દુસ્તાન યુનિલીવરના ૩૦૦ શ્રમયોગી પ્રશ્ને યુનિયનની માંગણીઓનો પંચ દ્વારા અસ્વીકાર
May 08, 2025 02:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech