વાંસજાળીયા સીમમાં મહારાષ્ટ્રીયન પરીવારના બે બાળકોના અપહરણ

  • October 04, 2023 10:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

થોડા દિવસ પહેલા ભેદી રીતે ગુમ થયા: પરીવારમાં ચિંતાની લાગણી


જામનગરમાં ખીજડા મંદિર સંસ્થાની સ્કુલના ત્રણ બાળકો અને ત્‌યારબાદ દરેડ શ્રમીક પરીવારના બે બાળકો ભેદી રીતે ગુમ થયા બાદ પોલીસે તબકકાવાર પાંચેય બાળકોને શોધી કાઢી પરીવારને સોંપ્યા હતાં, આ બાળકો હેમખેમ મળી આવ્યા બાદ જામજોધપુરના વાંસજાળીયા સીમમાં મહારાષ્ટ્રીયન પરીવારના બે બાળકો ભેદી રીતે ગુમ થતાં કોઇ અપહરણ કરી ગયાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.


મુળ મહારાષ્ટ્રના શિરપુર તાલુકાના વતની અને હાલ જામજોધપુરના વાંસજાળીયા ખાતે ઇશ્ર્વરભાઇની વાડીમાં રહેતા અને મજુરી કામ કરતા મેથ્યા ઉર્ફે મોતીરામએ ગઇકાલે તેમના 13 અને 15 વર્ષની વયના બે બાળકો ભેદી રીતે ગુમ થયા બાદ પોલીસે તપાસ કરી હતી અને પત્તો નહી મળતા કોઇ અજાણ્યો શખસ અપહરણ કરી ગયાની ગઇકાલે ફરિયાદ નોંધાવી હતી.


ગત તા.12-9-23ના અરસામાં બાળકો ગુમ થયાની પોલીસ સમક્ષ જાણકારી આપવામાં આવી હતી અને ગઇકાલે અપહરણની ફરિયાદ દાખલ થઇ હતી જેની તપાસ પીઆઇ વાય.જે.વાઘેલા અને સ્ટાફ ચલાવી રહ્યા છે. અન્ય આશ્રય સ્થાનો સહિતના વિસ્તારોમાં ટુકડીઓ દોડતી કરવામાં આવી છે.


અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગરમાં સ્કુલના ત્રણ બાળકો ભેદી રીતે ગાયબ થયા બાદ જામનગર પોલીસે હરીયાણા નજીકથી ત્રણેયને શોધી કાઢયા હતાં જેમાં પરીવારને આર્થિક રીતે મદદપ થવા માટે પોતાની મેળે નિકળી ગયાનું ખુલ્યું હતું જયારે દરેડમાં તાજેતરમાં જ શ્રમીક પરિવારના બે બાળકો ગુમ થયા હતાં જેમાં પણ પોલીસે મુંબઇ સુધી તપાસ લંબાવીને બાળકોને પરત લાવી હતી. જેમાં અભ્યાસ બાબતે ઠપકો આપતા ઘરેથી નિકળી ગયાની વિગતો સામે આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application