કાલાવડની પરિણીતાને દુ:ખ ત્રાસ આપ્યાની રાવ

  • July 27, 2023 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાલાવડના અમીપીર પાર્ક ખાતે રહેતી કરીશ્માબેન જુનેદભાઇ રાવ (ઉ.વ.૩૦) નામની પરિણીતાને છેલ્લા દોઢેક વર્ષથી અવાર નવાર ઘરકામ બાબતે મેણાટોણા મારી શારીરીક, માનસીક દુ:ખત્રાસ આપીને માવતર પાસેથી વધારે દહેજની માંગણી કરી અપશબ્દો કહી ઢીકાપાટુનો માર માર્યો હતો. ફરીયાદી તથા તેના દોઢ વર્ષના પુત્ર સમ્સને પહેરેલ કપડે ઘરની બહાર કાઢી મુકી જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી.
આ અંગે કરીશ્માબેન દ્વારા ગઇકાલે ટાઉન પોલીસમાં પતિ જુનેદ જીકર રાવ, સાસુ શાયરાબેન જીકર, સસરા જીકર અબ્દુલ રાવ રહે. બધા કાલાવડ બારોટ શેરીની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application