જામનગર શહેરમાં ટ્રાફિકની સમસ્યા વર્ષોથી શિરદર્દ રહી છે, અગાઉ કરેલા આયોજનો પડી ભાંગ્યા છે, અવાર નવાર ટ્રાફિક જામના કારણે વાહનચાલકો કલાકો સુધી ફસાઇ જાય છે. શહેરના નાગનાથ ગેઇટ, બેડી ગેઇટ, ડીકેવી રોડ, રણજીત રોડ, શાક માર્કેટ, દરબારગઢ, હવાઇચોક, પવનચકી, લાલપુર બાયપાસ ચોકડી, સમર્પણ સર્કલ આ બધા વિસ્તારો એવા છે જે સતત ધમધમતા રહે છે અને છાસવારે ટ્રાફિક જામ થાય છે, નાના મોટા અકસ્માતોના બનાવ પણ સર્જાતા રહે છે, દરમ્યાનમાં આજે શહેરના રણજીત રોડ પર ટ્રાફિક જામ થતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા, ઉપરાંત એક એમ્બ્યુલન્સ પણ ફસાઇ હતી જેના કારણે લાંબો સમય બેડી ગેઇટથી રણજીત રોડ, દિપક ટોકીઝ સુધીનો રસ્તો બ્લોક જેવો થઇ ગયો હતો અને વાહનોના થપ્પા લાગી ગયા હતા, ઉલ્લેખનીય છે કે રણજીત રોડ પર અવાર નવાર ટ્રાફિક જામ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીજીપી વિકાસ સહાય દ્વારા ત્રણ PIને ફરજિયાત નિવૃત્તિનો આદેશ...જાણી લો કારણ
July 04, 2024 11:53 PMઆસામમાં પૂરને કારણે અત્યાર સુધીમાં 56 લોકોના મોત, અરુણાચલમાં પણ 16 લાખથી વધુ અસરગ્રસ્ત
July 04, 2024 11:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech