ગૌમાતા માટે અન્નકૂટ ઉત્સવ તેમજ ૧૧૧ પ્રકારના રોટલાનો અન્નકૂટ ઉત્સવ તથા જલારામ બાપાના જીવન ચરિત્ર સત્સંગનો કાર્યક્રમ યોજાશે
જામનગરના હાપા સ્થિત જલારામ મંદિરે (શ્રી પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ), ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સનાતન સંસ્કૃતિમાં વર્ણવેલી ગૌમાતાનું મહત્ત્વ આધુનિક સમયમાં લોકો સ્વીકારે તેવા હેતુથી આ વર્ષે પણ તા. ૧૪-૧-ર૦રપ, મકરસંક્રાંતિના શુભ દિને સવારે ૯.૩૦ થી સાંજના ૭ વાગ્યા સુધી ગૌચારા અન્નકોટ યોજવામાં આવ્યો છે. સાંજે ૬.૧પ વાગ્યે ગૌમાતાની આરતી કરવામાં આવશે. સંસ્થા દ્વારા વર્ષ-ર૦ર૧ થી આ કાર્યક્રમ યોજવામાં આવે છે.
શ્રી પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ દ્વારા સૌપ્રથમ વખત શ્રી જલારામ બાપા ચરિત્ર સત્સંગ તા. ૧પ થી તા. ૧૭ સુધી સાંજે ૪ થી ૭ વાગ્યા દરમિયાન યોજવામાં આવ્યો છે. વક્તા પ.પૂ. શાસ્ત્રીજી રમણીકભાઈ દવે (લંડનવાળા) સંતશ્રી જલારામ બાપાનું જીવનચરિત્ર સંભળાવશે.
તા. ૧૭ ના સાંજે ૪ થી ૮ વાગ્યા દરમિયાન ૧૧૧ પ્રકારના રોટલાનો અન્નકોટ રાખવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, જલારામ સેવા ટ્રસ્ટ, હાપા દ્વારા તા. ૧૭-જાન્યુઆરી, ર૦૧૩ થી ૧૧૧ પ્રકારના રોટલાનો અન્નકોટ યોજવામાં આવે છે. અન્નકોટના દર્શન અને મહાપ્રસાદનો લાભ લેવા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસારા એવા રસ્તાની રાજકોટ મનપાએ પથારી ફેરવી નાખી !, ઉબડખાબડવાળા રસ્તા અને સત્તત ઉડે છે ધૂળની ડમરીઓ
February 23, 2025 03:29 PMરાજકોટ : સિવિલ હોસ્પિટલ કે ટુ વ્હીલર્સ પાર્કિંગ?
February 23, 2025 03:27 PMરાજકોટ : મવડી ચોકડી નજીક જાહેરમાં ગાંજો ફૂંકતો શખ્સ કેમેરામાં કેદ, વિડિયો વાયરલ
February 23, 2025 03:24 PMહરિયાણા કોંગ્રેસમાં બળવો, વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાના નામ સ્ટાર પ્રચારકોની યાદીમાંથી દૂર
February 23, 2025 03:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech