ઈઝરાયેલ અને હમાસ વચ્ચે સાત દિવસીય અસ્થાયી યુદ્ધવિરામ સમાપ્ત થયા બાદ ફરી એકવાર બોમ્બમારો શરૂ થઈ ગયો છે. યુદ્ધવિરામ સમાપ્ત થયાના એક કલાકની અંદર ઇઝરાયેલી સેના આઈડીએફએ ગાઝા પર જોરદાર બોમ્બમારો શરૂ કર્યો, જેમાં 180 થી વધુ લોકોના મોત થયા છે. હમાસના કબજા હેઠળના ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, યુદ્ધવિરામ સમાપ્ત થયા પછી, ઇઝરાયેલી સેનાએ ગાઝા પર હુમલો કર્યો હતો જેમાં 180 થી વધુ લોકો માર્યા ગયા.
રિપોર્ટ અનુસાર ઈઝરાયેલે હમાસ પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. આઈડીએફનું કહેવું છે કે હમાસે બુધવારે રોકેટ ફાયર કરીને યુદ્ધવિરામ સમાપ્ત થાય તે પહેલા તેને તોડવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન મધ્યસ્થી કતારનું કહેવું છે કે તે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે નવેસરથી યુદ્ધવિરામ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. કતારે પણ ઈઝરાયેલ દ્વારા ગાઝા પર બોમ્બમારો કરવા બદલ ખેદ વ્યક્ત કર્યો છે.
ઉલ્લેખનીય છે કે સાત દિવસીય યુદ્ધવિરામ દરમિયાન 100 થી વધુ બંધકોને મુક્ત કરવામાં આવ્યા છે. ઇઝરાયેલનું કહેવું છે કે તેના 115 પુરુષો, 20 મહિલાઓ અને બે બાળકો હજુ પણ હમાસ દ્વારા બંધક છે. આ યુદ્ધવિરામ હેઠળ ઈઝરાયેલે 240 પેલેસ્ટાઈન કેદીઓને પણ મુક્ત કયર્િ છે. ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાર દિવસીય યુદ્ધવિરામ કરાર 24 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી ચાલ્યો હતો. આ પછી યુદ્ધવિરામને બે દિવસ અને બાદમાં વધુ એક દિવસ માટે લંબાવવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન, બંને બાજુથી બંધકો અને કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હતા. યુદ્ધવિરામમાં કતારે મહત્વની ભૂમિકા ભજવી હતી.
ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ મંગળવારે જણાવ્યું હતું કે તેમનો દેશ તમામ બંધકોને પરત કરવા, હમાસને નાબૂદ કરવા અને ગાઝા હવે ઇઝરાયેલી નાગરિકો માટે ખતરો નહીં હોવાનું વચન આપવા માટે પ્રતિબદ્ધ છે. ઇઝરાયેલ અને હમાસ યુદ્ધવિરામ હેઠળ હમાસે છેલ્લા એક સપ્તાહમાં 100થી વધુ બંધકોને મુક્ત કયર્િ છે. બદલામાં ઈઝરાયેલે પેલેસ્ટાઈન કેદીઓને પણ મુક્ત કયર્.િ કતાર દ્વારા કરવામાં આવેલા યુદ્ધવિરામ હેઠળ હમાસ દ્વારા ઘણા વિદેશી નાગરિકોને પણ મુક્ત કરવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech