ગાઝામાં ઇઝરાયેલે ઘરો ખાલી કરવા માટે જાહેર કર્યો નવો આદેશ, ગોળીબારમાં 37 પેલેસ્ટિનિયનના મોત

  • July 22, 2024 11:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઇઝરાયેલની સેનાએ દક્ષિણ ગાઝાને ખાલી કરવા માટે નવો આદેશ જારી કર્યો છે. બીજી તરફ ગાઝામાં વધુ બે બંધકોના મોતના સમાચાર છે. ઈઝરાયેલે તપાસના આદેશ આપ્યા છે. ઇઝરાયલી દળોએ ખાન યુનિસ નજીક ટેન્કોમાંથી ભારે ગોળીબાર કર્યો. જેમાં 37 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 120 લોકો ઘાયલ થયા છે.



ઇઝરાયેલે દક્ષિણ ગાઝામાં લોકોને તેમના ઘરો ખાલી કરવા માટે નવો આદેશ જારી કર્યો છે. આ દરમિયાન ખાન યુનિસ નજીક ઇઝરાયેલી ટેન્કના ગોળીબાર અને હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 37 પેલેસ્ટિનિયનના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. જ્યારે લગભગ 120 જેટલા લોકો ઘાયલ થયા છે. જેમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. ત્યારે ઇઝરાયેલે કહ્યું છે કે ગાઝામાં વધુ બે બંધકોના મોત થયા છે, જે મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.


બાની સુહૈલા નગરમાં ગોળીબાર
ગાઝાના આરોગ્ય મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે ઇઝરાયેલે દક્ષિણ ગાઝામાં ખાન યુનિસની પૂર્વમાં બાની સુહૈલા અને અન્ય નગરો પર ગોળીબાર શરૂ કર્યો હતો. ઈઝરાયલી સેના દ્વારા નિશાન બનાવવામાં આવેલા વિસ્તારમાં લગભગ ચાર લાખ પેલેસ્ટાઈનવાસીઓ રહે છે. ઈઝરાયેલની સેનાના હુમલા અને આદેશ બાદ લોકો પોતાના ઘરોમાંથી સામાન લઈ જઈ રહ્યા છે.


પોતાના પ્રિયજનોને ગુમાવનારા લોકોના નથી રોકાઈ રહ્યા આંસુ
ખાન યુનિસની નાસિર હોસ્પિટલ પાસે પોતાના પ્રિયજનોને ગુમાવનારા લોકો રડી રહ્યા હતા. અહેમદ સમુર જેમણે પૂર્વીય ખાન યુનિસમાં તેમના ઘણા સંબંધીઓ ગુમાવ્યા, તેમણે કહ્યું કે અમે ગાઝામાં વારંવાર સ્થાનો બદલવાથી કંટાળી ગયા છીએ. અમારા બાળકો દરરોજ મરી રહ્યા છે. બ્લડ બતાવતા અહેમદે કહ્યું કે આ મારા બાળકનું બ્લડ છે જે હજુ સુકાયું નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application