ભાવનગર જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા ૬ નાયબ ચીટનીશ અને એટીડીઓની આંતરીક બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. વહીવટી કારણોસર અને ભ્રષ્ટાચાર અને ઉદ્ધતાઈના કારણે બદલી કરાઈ હોવાનું જાણવા મળ્યુ છે.આ કર્મચારીઓ આગામી દિવસોમાં નવી જગ્યાએ ચાર્જ સંભાળી કામગીરી હાથ ધરશે.
જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા ૬ નાયબ ચીટનીશ અને એટીડીઓની ગુરૂવારે વહીવટી કારણોસર અને ભ્રષ્ટાચાર તેમજ ઉદ્ધતાઈ દાખવવાના કારણે બદલી કરાઈતેમજ વિનંતીથી બદલી કરવામાં આવી હોવાનુ જાણવા મળેલ છે, જેમાં સી.બી.ઓઝાને પંચાયત શાખામાંથી મહેસુલ શાખામાં, એમ.બી.રાઠોડને ઉમરાળાથી પંચાયત શાખામાં, એમ.કે.વીરાસને મહુવાથી ઉમરાળા, પી.જી. મકવાણાને તળાજાથી મહુવા, કુમારી બી.એમ.પરમારને ગ્રામ વિકાસમાંથી રેગ્યુલરમાં અને એચ.બી. ભેડાને રેગ્યુલરમાંથી ગ્રામ વિકાસ શાખામાં મુકવામાં આવ્યા હોવાનુ જિલ્લા પંચાયતના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
જિલ્લા પંચાયતમાં આશરે ત્રણ વર્ષે બદલી કરવામાં આવતી હોય છે, જેના પગલે કર્મચારીઓની આંતરીક બદલી કરવામાં હોવાનુ કહેવાય છે. જો કે આ બદલીઓ માત્ર ત્રણ વર્ષના સમયગાળાને બદલે ઉપર દર્શાવ્યા મુજબના કારણોસર પણ કરવામાં આવી છે.આગામી દિવસોમાં અન્ય કર્મચારીઓની પણ બદલી કરવામાં આવશે તેમ ચર્ચાય રહ્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગીરમાં એડવાન્સ બુકિંગ માટે આ સાઇટનો ઉપયોગ કરજો...બાકી થઈ જશે ખાતું ખાલી...જાણો વિગત
September 20, 2024 08:01 PMતિરુપતિ બાલાજીમાં 50 વર્ષ ઘી સપ્લાય કંપનીએ શા માટે કર્યો ઇનકાર, કઈ કંપનીને મળ્યો નવો કોન્ટ્રાક્ટ
September 20, 2024 06:29 PMશું છે બીફ ટોલો? જેનો ઉપયોગ તિરુપતિ બાલાજીના પ્રસાદમાં થતો હતો
September 20, 2024 06:22 PMતિરુપતિ બાલાજી પ્રસાદના લાડુ કેવી રીતે બનાવવામાં આવે છે? દર વર્ષે 500 કરોડની કમાણી
September 20, 2024 06:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech