ખંભાળિયાની માસુમ બાળકીને રસીના ઇન્જેક્શન અપાયા બાદ મૃત્યુ

  • June 29, 2023 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મમતા દિવસે આંગણવાડીમાં રસી લીધા બાદ તબિયત લથડી: પરિવારમાં શોકની લાગણી

ખંભાળિયામાં રહેતી ચાર વર્ષની એક બાળકીને બુધવારે મમતા દિવસના રોજ વેક્સિન અપાયા બાદ તેણીનું મૃત્યુ નીપજ્યાનો બનાવ સામે આવ્યો છે.
આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ખંભાળિયામાં આવેલા સંજયનગર વિસ્તારમાં એક મંદિરની બાજુમાં રહેતા ભારતીબેન પેથાભાઈ વાઘોરા નામના મહિલા તેણીની ચાર વર્ષીય પુત્રી વર્ષાબેનને સાથે લઈ અને ગઈકાલે બુધવારે મમતા દિવસ હોય, આ બાળાને વેક્સિન અંગેનું ઇન્જેક્શન આપવા માટે નજીક સંજયનગર વિસ્તારમાં આવેલી આંગણવાડી ખાતે લઇ ગયા હતા. જ્યાં આ બાળાને ત્રણ ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા.
આ પછી બાળકીની તબિયત લથડતા તેણીને પ્રાથમિક સારવાર અર્થે ખંભાળિયાની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીની હાલત નાજુક જણાતા વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ રસ્તામાં જ આ બાળાએ અંતિમ શ્વાસ ખેંચ્યા હતા. આ સમગ્ર બનાવ અંગે મૃતક બાળાના માતા ભારતીબેને અહીંની પોલીસમાં જરૂરી નોંધ કરાવી છે. મૃતક બાળકીના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી.
**
*વેરાડના આધેડનું હૃદયરોગના કારણે મૃત્યુ
છેલ્લા થોડા દિવસોથી હૃદયરોગના હુમલાથી મૃત્યુના બનાવોનું પ્રમાણ વધી રહયું છે, ખાસ કરીને યુવાનોમાં હાર્ટએટેક વઘ્યા છે અને એક પછી એક બનાવ સામે આવી રહયા છે, દરમ્યાન ભાણવડના વેરાડ ગામમાં આઘેડનું છાતીમાં દુ:ખાવો ઉપડયા બાદ મૃત્યુ થયું છે.
ભાણવડ તાલુકાના વેરાડ ગામે રહેતા મોહનભાઈ જીવનભાઈ રાઠોડ નામના ૫૩ વર્ષના સતવારા આધેડને છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ સારવાર દરમિયાન જામનગરની જી.જી. હોસ્પિટલમાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application