જામનગરના નવાગામ વિસ્તારમાં ગઈકાલે તારીખ ૨૧.૨.૨૦૨૪ ના રોજ ભાજપના વોર્ડ નંબર -૪ ના કોર્પોરેટર કેશુભાઈ માડમ ની ઓફિસે પીજીવીસીએલ સેન્ટ્રલ ઝોન પેટા વિભાગ ના નાયબ ઇજનેર તથા જુનિયર ઈજનેર તથા કર્મચારી સ્ટાફ દ્વારા પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુક્ત બિજલી યોજના ની માહિતી આપવામાં આવી.
આ યોજના અંતર્ગત સરકારશ્રી દ્વારા સોલાર રૂફટોપ લગાવવા અર્થે ગ્રાહકોને આપવામાં આવતી સબસીડીમાં ધરખમ વધારો કરવામાં આવેલો છે, તેવું લોકોને સમજાવવામાં આવ્યું હતું.
સોલાર રૂફટોપ અપનાવવાથી વીજળીની બચત પણ કરી શકાય છે, અને દર માસે આવતા વીજ બીલ ની રકમ ભરવા માટે પણ મુક્તિ મેળવી શકાય છે, તેમજ સોલાર દ્વારા વીજળી ઉત્પન્ન થવાથી આ વીજળી ગ્રીન એનર્જી હોવાથી આપણા ઘરને ફાયદો થાય છે, તેની સાથે સાથે સમાજ અને દેશને પણ ફાયદો થાય છે.
સોલાર પ્લાન્ટ લગાવવાથી પર્યાવરણને થતું નુકસાન ઘટાડવામાં યોગદાન આપી શકાય છે. વિગેરે જેવા ફાયદાઓ લોકો સમક્ષ સમજાવવામાં આવ્યા હતા. સોલાર રૂફટોપ યોજના અંતર્ગત ગ્રાહકો દ્વારા કરવાની થતી કાર્યવાહી પૈકી ની વિગતો સમજાવવામાં આવી હતી.
ગ્રાહકો દ્વારા ફક્ત વીજ બીલ માંથી ગ્રાહક નંબર તથા તેમના હાલના મોબાઈલ નંબર હોવા જરૂરી છે, અને મોબાઈલ ઉપરથી જ નેશનલ પોર્ટલ ઉપર ક્લિક કરી રજીસ્ટ્રેશન નોંધાવવા માટે આ કાર્યક્રમ અંતર્ગત લોકોને અપીલ કરવામાં આવી હતી. સોલાર રૂફટોપ પ્લાન્ટ અંગેના ફાયદાઓની સમજથી સ્થળ ઉપર હાજર ઘણા લોકો દ્વારા હકારાત્મક પ્રતિસાદ આપવામાં આવ્યો હતો.
આ મુલાકાત દરમિયાન સ્થાનિક આગેવાનો તથા કોર્પોરેટર્સ શ્રી કેશુભાઈ માડમ પણ ઉપસ્થિત રહ્યા હતા, તેમણે પણ લોકોને સોલાર રૂફટોપ અપનાવવા માટે આ યોજનાનો અને સબસીડી નો લાભ લેવા લોકો સમક્ષ અપીલ કરવામાં આવી. તેમજ કાર્યક્રમમાં જ શ્રી કેશુભાઈ માડમ દ્વારા પોતાના મોબાઈલ માંથી રજીસ્ટ્રેશન કરાવી સોલાર રૂફટોપ અપનાવવાની પહેલ દર્શાવવામાં આવી હતી. પીજીવીસીએલ સેન્ટ્રલ ઝોન પેટા વિભાગ દ્વારા સોલાર રૂફટોપ અપનાવવા અંગેની અપીલ તથા તેના રજીસ્ટ્રેશન માટેની સંપૂર્ણ વિગત કાર્યક્રમ સમક્ષ રજૂ કરતા લોકોમાં સારો પ્રતિસાદ મળ્યો છે, સોલાર રૂફટોપ માટે સબસીડી સિવાયની રકમ માટે લોન પણ બેંક દ્વારા ઉપલબ્ધ કરવામાં આવે છે તેની પણ માહિતી આપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech