એનસીઆરટી એટલે કે નેશનલ કાઉન્સિલ આફ એયુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગના પુસ્તકોમાં 'ઇન્ડિયા'ના બદલે ટૂંક સમયમાં જ 'ભારત' લખેલું જોવા મળશે. ઉપરાંત, પુસ્તકોમાં પ્રાચીન ઇતિહાસને બદલે શાક્રીય ઇતિહાસનો સમાવેશ કરવાની શકયતાઓ છે. સમિતિએ હિન્દુ યોદ્ધાઓની શૌર્યગાથાઓને પુસ્તકનો ભાગ બનાવવાનું સૂચન કયુ છે.
એનસીઆરટી રાષ્ટ્ર્રીય શિક્ષણ નીતિ ની તર્જ પર તેના અભ્યાસક્રમમાં સુધારો કરી રહી છે. આ નક્કી કરવા માટે, ૧૯ સભ્યોની રાષ્ટ્ર્રીય અભ્યાસક્રમ અને અધ્યાપન સામગ્રી સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિના અધ્યક્ષ સીઆઈ આઈઝેકે કહ્યું, 'ઈસ્ટ ઈન્ડિયા કંપની અને ૧૭૫૭ના પ્લાસીના યુદ્ધ પછી ઈન્ડિયા શબ્દનો સામાન્ય રીતે ઉપયોગ થવા લાગ્યો. યારે, વિષ્ણુ પુરાણ જેવા પ્રાચીન ગ્રંથોમાં ભારતનો ઉલ્લેખ છે, જે ૭ હજાર વર્ષ જૂના છે. આવી સ્થિતિમાં, સમિતિએ સર્વાનુમતે ભલામણ કરી છે કે તમામ વર્ગેાના પુસ્તકોમાં ભારતનું નામ વાપરવું જોઈએ. તેમણે કહ્યું, 'અંગ્રેજોએ ભારતીય ઈતિહાસને પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિકમાં વહેંચી દીધો છે. હવે પ્રાચીન એટલે પ્રાચીન, તે દર્શાવે છે કે દેશ અંધકારમાં હતો, જાણે તેમાં કોઈ વૈજ્ઞાનિક જાગૃતિ ન હતી. સૂર્યમંડળ પર આર્યભટ્ટના કાર્ય સહિત આવા ઘણા ઉદાહરણો છે. અમે સૂચન કયુ છે કે મધ્યકાલીન અને આધુનિકની સાથે શાક્રીય ઇતિહાસ પણ ભણાવવો જોઈએ.
જી૨૦ સમિટ ૨૦૨૩ દરમિયાન દેશનું નામ બદલવાને લઈને ઘણી ચર્ચા થઈ હતી. ઇન્ડિયાને બદલે 'ભારત' લખવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું. જી૨૦ના આમંત્રણમાં રાષ્ટ્ર્રપતિએ ઇન્ડિયાને બદલે ભારત લખ્યું હતું. ત્યારબાદ જી૨૦ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેમપ્લેટ પર પણ 'ભારત' લખવામાં આવ્યું હતું.
પાઠપુસ્તકોમાં 'પ્રાચીન ઇતિહાસ'ની જગ્યાએ 'શાક્રીય ઇતિહાસ'નો સમાવેશ કરવાની ભલામણ કરી હતી. ઇતિહાસને હવે પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિકમાં વિભાજિત કરવામાં આવશે કારણ કે આ દર્શાવે છે કે ભારત એક જૂનું રાષ્ટ્ર્ર છે અને બ્રિટિશ સામ્રાયવાદથી અજાણ છે. તમામ વિષયોમાં આઈકેએસ દાખલ કરવામાં આવશે. વિષયોના અભ્યાસક્રમમાં ભારતીય જ્ઞાન પ્રણાલીનો પરિચય પણ આ નવા ફેરફારનો એક ભાગ છે. આ સમિતિ ૨૫ સમિતિઓમાંથી એક છે જે રાષ્ટ્ર્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ મુજબ અભ્યાસક્રમમાં ફેરફાર કરવા માટે કેન્દ્રીય સ્તરે એનસીઆરટી સાથે કામ કરી રહી છે. હાલમાં અધતન પાઠપુસ્તકો આવવાના બાકી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીજીપી વિકાસ સહાય દ્વારા ત્રણ PIને ફરજિયાત નિવૃત્તિનો આદેશ...જાણી લો કારણ
July 04, 2024 11:53 PMઆસામમાં પૂરને કારણે અત્યાર સુધીમાં 56 લોકોના મોત, અરુણાચલમાં પણ 16 લાખથી વધુ અસરગ્રસ્ત
July 04, 2024 11:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech