સ્નેહ મિલન સોસાયટીમાં પાકા દબાણનો થયો સફાયો

  • December 20, 2023 05:53 PM 

મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે શહેરનાં હાદાનગર વિસ્તારમાં આવેલી શીવશક્તિ સોસાયટીમાં પાકા અને કાચા દબાણો હટાવાયા બાદ આજે બીજા દિવસે પણ હાદાનગરની સ્નેહમિલન સોસાયટીમાં ત્રાટકી દીવાલો, ઓરડીઓ તેમજ દાદર અને કેબીનો સહીતના દબાણો હટાવી જાહેર રોડને ખૂલ્લો કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે અને બપોર સુધીમાં નાના મોટા ૧૫ જેટલા પાકા દબાણો હટાવી દેવાયા હતા. મહાનગરપાલિકા દ્વારા શહેરને દબાણ મુક્ત કરવા માટેના હાથ ધરેલા અભીયાનમાં આજે બુધવારે પણ હાદાનગર વિસ્તારમાં થયેલા દબાણો પર તવાઈ બોલાવાય છે. આજે સવારથી જ સ્નેહમિલન સોસાયટીમાં જાહેર રોડ પર કરવામાં આવેલા પાકા દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં રોડ પર ખડકી દેવાયેલા પાકા બાંધકામોમાં બાથરૂમ તેમજ દિવાલો અને ઓટલા સહીતના દબાણો તોડી પાડી જાહેર રોડને ખુલ્લો કરાવ્યો હતો. મહાનગરપાલિકાની દબાણ હટાવ સેલની ટીમ દ્વારા સ્નેહમિલન સોસાયટીમાં પાકા દબાણો ઉપરાંત કેબીનો અને લારી ગલ્લા સહિતના અડચણરૂપ દબાણો પણ હટાવી દઈ માલસામાન જપ્ત કર્યો હતો. દરમિયાન સવારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં ૧૫ જેટલા પાકા દબાણો તોડી પડાયા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application