મહારાષ્ટ્ર્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે એક મોટો દાવો કર્યેા છે કે ૨૦૧૯માં યારે રાષ્ટ્ર્રવાદી કોંગ્રેસ પાર્ટી અને ભાજપ વચ્ચે સાથે ગઠબંધન અંગે વાતચીત ચાલી રહી હતી, ત્યારે ઉધોગપતિ ગૌતમ અદાણીએ પણ તે બેઠકમાં હાજરી આપી હતી. તેમણે દાવો કર્યેા હતો કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સિવાય શરદ પવાર પણ આ બેઠકમાં સામેલ થયા હતા. તેમના આ દાવાથી ઉધોગપતિ અદાણી દ્રારા રાજકીય હસ્તક્ષેપ અંગે ચર્ચાઓ જાગી છે. અજિતે એવું પણ કહ્યું કે હત્પં શરદ પવારને સંપૂર્ણ જાણકારી આપીને જ ભાજપ સાથે જોડાયો હતો.અજિત પવારે ૨૦૧૯ માં ભાજપ સાથે સરકાર બનાવવાના પ્રયાસ દરમિયાન કરેલા બળવા અંગે પ્રતિક્રિયા આપતાં એક ઈન્ટરવ્યૂમાં આ વાતો કહી હતી. જેમાં કહ્યું કે દરેક વ્યકિત જાણે છે કે મીટિંગ કયાં થઈ હતી, દરેક વ્યકિત ત્યાં હાજર હતા. હત્પં તમને ફરીથી કહત્પં છું કે અમિત શાહ, ગૌતમ અદાણી, પ્રફુલ પટેલ, દેવેન્દ્ર ફડણવીસ, અજિત પવાર અને પવાર સાહેબ (શરદ પવાર) પણ એ બેઠકમાં હાજર રહ્યા હતા. બેઠકમાં શરદ પવારે અમિત શાહ સાથે મળીને સરકાર રચવાની વાત કરી હતી. ત્યારે ગૌતમ અદાણી પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા.
અદાણીને મહારાષ્ટ્ર્રમાં ભાજપને સત્તામાં લાવવામાં આટલો રસ કેમ?
રાયસભાના સાંસદ અને શિવસેનાના પ્રવકતા પ્રિયંકા ચતુર્વેદીએ અજિત પવારના અદાણી સંબંધિત દાવાઓ પર સૌથી પહેલા પ્રતિક્રિયા આપતા કહ્યું કે એક વરિ કેબિનેટ મંત્રીના દાવા મુજબ, ગૌતમ અદાણી એ બેઠકોનો ભાગ હતા જેમાં મહારાષ્ટ્ર્રમાં ભાજપને સત્તામાં લાવવા માટે સંભવિત જોડાણો પર ચર્ચા કરવામાં આવી રહી હતી. આનાથી ઘણાં ગંભીર પ્રશ્નો ઉભા થાય છે. શું તેમને સત્તાવાર વાટાઘાટકાર બનાવાયા છે? એક બિઝનેસમેન મહારાષ્ટ્ર્રમાં ભાજપને સત્તામાં લાવવા માટે આટલો રસ કેમ બતાવે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMIND vs PAK: મેચ વચ્ચે જ ભારતને મોટો ઝટકો, મોહમ્મદ શમી ઘાયલ થતાં ગ્રાઉન્ડની બહાર
February 23, 2025 03:53 PMટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech