હાથરસ નાસભાગ કેસમાં ૩,૨૦૦ પાનાની ચાર્જશીટમાં ભોલે બાબાનું નામ જ નથી

  • October 03, 2024 01:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં ૨ જુલાઈના રોજ આયોજિત નારાયણ સાકર હરિ ભોલે બાબા 'સત્સંગ' કાર્યક્રમ દરમિયાન થયેલી નાસભાગના સંબંધમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં ગોડમેન 'ભોલે બાબા'નો આરોપી તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.નોંધનીય છે કે આ ઘટનામાં ૧૨૧ લોકો માર્યા ગયા હતા.આ સંબંધમાં દાખલ કરવામાં આવેલી ૩,૨૦૦ પાનાની ચાર્જશીટમાં ૧૧ લોકોને આરોપી તરીકે નામ આપ્યા હતા,જેમાં ગોડમેન 'ભોલે બાબા'નો આરોપી તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો નથી
'ભોલે બાબા' તરીકે વધુ જાણીતા બનેલા બાબાની ઓળખ સૂરજ પાલ તરીકે થઈ હતી. તેઓ નારાયણ સાકર હરિ અને જગત ગુ વિશ્વહારી નામથી પણ ઓળખાય છે. એક અહેવાલ અનુસાર ૧૧ આરોપીઓ વિદ્ધ મંગળવારે દાખલ કરવામાં આવેલી ૩,૨૦૦ પાનાની ચાર્જશીટમાં ગોડમેનના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.હાથરસ પોલીસેનાસભાગની ઘટનાના સંબંધમાં કોર્ટમાં ૩,૨૦૦ પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી.
ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે, પોલીસે ૧૧ લોકોનાં આરોપી તરીકે નામ આપ્યા છે, જેમાં ઇવેન્ટની પરમિટ મેળવવા માટે જવાબદાર લોકોનો પણ સમાવેશ થાય છે. આ કેસમાં આરોપી ૧૧ લોકોનો સમાવેશ થાય છે તેમાં દેવ પ્રકાશ મધુકર (ઇવેન્ટના મુખ્ય આયોજક), મેઘ સિંહ, મુકેશ કુમાર, મંજુ દેવી, મંજુ યાદવ, રામ લધેતે, ઉપેન્દ્ર સિંહ, સંજુ કુમાર, રામ પ્રકાશ શાકય, દુર્વેશ કુમાર અને દલવીર સિંઘના નામ છે. મુખ્ય સેવાદાર' દેવપ્રકાશ મધુકર એફઆઈઆર અને ચાર્જશીટ બંનેમાં મુખ્ય આરોપી છે.પરંતુ ગોડમેન ભોલે બાબાનું નામ પણ એફઆઈઆરમાં પણ સામેલ નથી. બચાવ પક્ષના વકીલ એપી સિંઘે જણાવ્યું હતું કે, કોર્ટે આરોપીઓને ચાર્જશીટની નકલો આપવા માટે ૪ ઓકટોબરની તારીખ નક્કી કરી છે.
સિંહે જણાવ્યું હતું કે મંગળવારે, અલીગઢ જિલ્લા જેલમાંથી હાથરસ જિલ્લા કોર્ટમાં લાવવામાં આવેલા કાર્યક્રમના મુખ્ય આયોજક અને ભંડોળ એકત્ર કરનાર દેવ પ્રકાશ મધુકર સહિત ૧૦ આરોપીઓની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.આરોપીઓમાંથી એક મંજુ યાદવ હાલ અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ બાદ જામીન પર બહાર છે.કેસની તપાસ કરી રહેલી સીટએ ચાર્જશીટ દાખલ કરી છે. આ મામલે અલગ ન્યાયિક તપાસ ચાલુ છે.નોંધનીય છે કે હાથરસના સિકન્દ્રા રાવ વિસ્તારના ફુલરાઈ ગામમાં ૨ જુલાઈના રોજ સૂરજપાલ ઉર્ફે ભોલે બાબા ઉર્ફે નારાયણ સાકર હરિનો સત્સગં યોજાયા બાદ નાસભાગમાં ૧૨૧ લોકો મૃત્યુ પામ્યા હતા, જેમાં મોટાભાગની મહિલાઓ હતી.
ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૫ (ગુનેગાર માનવહત્યા), ૧૧૦ (ગુનેગાર હત્યા કરવાનો પ્રયાસ), ૧૨૬ (૨) (ખોટી રીતે સંયમ), ૨૨૩ (અનાદર) હેઠળ ૨ જુલાઈએ આ મામલે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application