વડિયામાં વોર્ડ નં.૯ના સુરગપરા ભદ્ર વિસ્તારમાં ગંદકીના ગંજથી લોકો ત્રાહિમામ

  • February 10, 2023 06:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલી જિલ્લાના વડિયા શહેરમાં વોર્ડ નંબર ૯માં છેલ્લા ઘણા સમયથી ગ્રામપંચાયત સરપંચ, તાલુકા પંચાયત સદસ્ય અને જિલ્લા પંચાયત સદસ્ય કોઇને કોઇ વિવાદમાં જોવા મળે છે. ત્યારે હાલ વડિયા ગામની વર્તમાન ચૂંટાયેલી બોડી માત્ર લોકોને સુવિધાઓ આપવાને બદલે ગામને રોજ રોજ નર્કગાર બનાવતી હોય તેવા નવા નવા વિસ્તારના દ્રષ્યો સામે આવતા જોવા મળે છે. વડિયા ગ્રામપંચાયત દ્વારા લોકોની સમસ્યા સાંભળવા માટે કોઇ સિસ્ટમ અસ્તિત્વમાં હોય તે લોકોને ખબર પડતી નથી, તેથી લોકોના સ્વચ્છતા અને વિકાસના કામો થતાં નથી. પરંતુ આ વોર્ડ નંબર-૯ જે મામલતદાર ઓફિસ પાસેના ગામના ભદ્ર વિસ્તાર એવા સુરગપરાના પ્રવેશદ્વાર એવા પેટ્રોલ પમ્પ પાસેના એરિયામાં જયાં વર્ષોથી હિન્દુ ધર્મના બજરંગદાસ બાપાની મઢુલી બનાવેલી છે. ત્યાં હાલ કચરાના ઢગલાના ગંજ ખડકાતા જોવા મળી રહ્યા છે. તો પેટ્રોલ પમ્પની મુતરડીની ગંદકીની વહેતી નદી પણ જાણે બજરંગદાસની મઢુલીને અડીને જ પસાર થતી હોય અને મચ્છર, બદબૂની પર્યાય આ શિરમોર વિસ્તાર બન્યો હોય તેવું જોવા મળી રહ્યો છે.
​​​​​​​
બીજી બાજુ ભગવાન રામના નામે મત માગનાર આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જેમાં વોર્ડ નંબર-૯ના સભ્ય મમતાબેન સોજીત્રા, સરપંચ મનીષ ઢોલરીયા, જિલ્લા પંચાયત સદસ્ય વિપુલ રાંકના ઘરે જવાનો આ મુખ્ય માર્ગ કે જયાંથી આ નેતાઓ દિવસમાં દસવાર નામે મોગા દઇને પસાર થતા હોય એવા બદબૂ મારતો અને નર્ક સમાન વિસ્તાર બન્યો હોય ત્યારે હવે લોકો આ ગંદકીથી કંટાળી આ વર્તમાન સત્તાધીશોને કહેવાને બદલે ત્યાં બિરાજમાન બજરંગદાસ બાપાને પ્રાર્થના કરતા જોવા મળ્યા છે કે હવે તમે કંઇક ચમત્કાર કરીને આ લોકોની શાન ઠેકાણે લાવો, તેવી સ્થાનિકો પ્રાર્થના કરી રહ્યા છે. ત્યારે બજરંગદાસ બાપાને ધાર્મિક પ્રાર્થના સાથે વર્તમાન સત્તાધીશો, સ્થાનિક તલાટી મંત્ર, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી કે જે વર્તમાન પ્રધાનમંત્રીની અપીલથી સમગ્ર દેશ સ્વચ્છ બને તે માટે સ્વચ્છતા અભિયાન અમલમાં લાવતા હોય અને બીજી બાજુ દેશના પ્રધાનમંત્રીની અપીલથી સમગ્ર દેશ સ્વચ્છ બને તે માટે સ્વચ્છતા અભિયાન અમલમાં લાવતા હોય અને બીજી બાજુ દેશના પ્રધાનમંત્રીને શરમ આવે તેવી સ્થિતિ તાલુકા મથકના મુખ્ય ગામ એવા વડિયાના પોશ વિસ્તાર એવા સુરગપરાની હોય કે જયાં વોર્ડથી માંડીને પંચાયત અને સાંસદ સુધી ભાજપની સરકાર છે ત્યાંના લોકો પંચાયતથી આશા છોડીને બજરંગદાસ બાપાના શરણે પ્રાર્થના કરતા હોય તેવા શરમાવે એવા દ્રષ્યો વડિયામાં નર્ક સમાન બનેલા સુરગપરા વિસ્તારના વોર્ડ-૯માં જોવા મળી રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે સ્વચ્છતાના બણગા ફુંકતા સત્તાધિશો અને અધિકારીના કાને બજરંગદાસ બાપાનો અવાજ સંભળાય છે કે નેતાઓ સત્તાના મદમાં રાચે છે તે આવનારો સમય જ બતાવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application