જામનગરમાં કામના ટેન્શનમાં યુવાને જીવાદોરી ટુંકાવી

  • December 15, 2023 01:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના મણીભદ્ર વીલા પાસે રહેતા આદિવાસી યુવાને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે, બાંધકામમાં કામ કરવું ગમતુ ન હોય વધુ કામની ચિંતામાં પગલું ભરી લીધાનું પોલીસ ચોપડે જાહેર થયું છે.
જામનગરના મણીભદ્ર વીલા ખાતે ઝુપડામાં રહેતા મુળ એમ.પી.ના વતની રાજુ શંકરભાઇ મસાર (ઉ.વ.૨૫) નામના યુવાનને બાંધકામનું કામ કરવું ગમતું ન હોય અને કામ વધુ હોય જેના ટેન્શનમાં પોતાની મેળે ગઇકાલે ગળાફાંસો ખાઇ લેતા મૃત્યુ નિપજયું હતું.
આ બનાવ અંગે નવી આરટીઓ કચેરી પાસે મણીભદ્ર વીલા ખાતે રહેતા સંગીતાબેન રાજુભાઇ મસારએ સીટી પોલીસમાં જાણ કરી હતી જેના આધારે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application