જામનગરમાં બદલાઇ રહ્યો છે મોસમનો સમય: વાદળો છવાયા
જે સતત બદલાતો રહે છે એનું નામ જ સમય છે....આ કયારેય એક જેવો રહેતો નથી, આ કયારેક યાદગાર બની રહે છે તો કયારેક ભયાવહ હોય છે, આ કયારે રંગ બદલશે, કયારે કોના પાસા પલ્ટાઇ જશે તેની કોઇને ખબર હોતી નથી, આના અનુસાર ચાલવું શાનપણ છે અને આની વિઘ્ધ જવું મુર્ખાઇનું પ્રતિક છે, એટલે જ કહેવાય છે કે, સમયની સાથે જે તાલ મીલાવે તેને શાણા ગણવામાં આવે છે ટુંકમાં સમય-સમયનું કામ કરે છે, ઉનાળાના કાળઝાળ દિવસો ચાલી રહ્યા છે, આ સમયે કાયમ રહેવાનો નથી, ઋતુ ચક્ર બદલાશે અને હવે ધીમે-ધીમે આકાશ પર દેખાતા વાદળો એવા સંકેત આપે છે કે, મોસમનો સમય પણ બદલાવાની શઆત થઇ ગઇ છે, ટાવરમાં દેખાતી ઘડીયાળનો સમય જેમ સ્થિર નથી એમ જ આગ ઓકતી આ ગરમી પણ સ્થિર રહેશે નહીં અને ખુબ જલ્દી ચોમાસુ પધરામણી કરે એવું મનોમન બધા ઇચ્છી રહ્યા છે, બસ હવે સમયનો ઇન્તેજાર છે.
***
તા.૩૦ અને ૩૧ના રોજ મહત્તમ તાપમાન ૪૦ ડીગ્રી પાર કરી જશે તેવી આગાહી
સૂર્યદેવતાએ જામનગર ઉપર લાલ આંખ કરી છે, જામનગર ભઠ્ઠીમાં ફેરવાઇ રહ્યું છે, ગઇકાલે સાંજથી જ અસહ્ય ગરમી શ થઇ છે, પરંતુ ૬૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાતા થોડી રાહત થઇ છે, ભેજનું પ્રમાણ દિન-પ્રતિદિન વધતું જાય છે, જેને કારણે મહત્તમ તાપમાન ઓછુ હોવા છતાં પણ લોકોને બફારો વધુ લાગે છે, તા.૩૦ અને ૩૧ના રોજ કાળઝાળ ગરમી પડશે એટલું જ નહીં જામનગર સહિત ગુજરાતના કેટલાક શહેરનું મહત્તમ તાપમાન ૪૦ ડીગ્રીને પાર કરી જશે એવી હવામાન ખાતાની આગાહી છે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન સિઝનનું સૌથી વધુ ૩૫ ડીગ્રી રહ્યું હતું, લઘુતમ તાપમાન ૨૯ ડીગ્રી, હવામાં ભેજ ૮૩ ટકા અને પવનની ગતિ ૫૫ થી ૬૦ કિ.મી. પ્રતિકલાક રહી હતી. અત્રે નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ધીરે-ધીરે લઘુતમ તાપમાન વધતું જાય છે અને તે ૩૦ ડીગ્રી નજીક પહોંચી ગયું છે.
બળબળતા તાપને કારણે લોકો સવારથી જ પરેશાન થઇ ગયા છે, ઠંડા પીણા, બરફ, ગોલા, આઇસ્ક્રીમ, શેરડીનો રસ, જયુશ, નાળીયેર પાણીનો સહારો લઇ રહ્યા છે. આજ સવારથી કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર, ધ્રોલ, જોડીયા, લાલપુર, રાવલ, ભાટીયા, ફલ્લા સહિતના વિસ્તારોમાં સૂર્યદેવતા કોપાયમાન થયા છે અને વધુ ગરમી પડવાની પુરી શકયતા છે.
શહેરમાં આકરો તાપ શ થઇ ચૂકયો છે, સવારથી જ વાદળીયું વાતાવરણ જોવા મળ્યું છે, આકાશમાં વાદળો છવાયા છે, જો કે વરસાદની કોઇ શકયતા નથી હજુ ત્રણ દિવસ સુધી આકાશમાંથી અંગારા વરસશે તેની સાથે પવન પણ ફુંકાશે એવી હવામાન ખાતાની આગાહી છે. ગઇકાલથી તાપ શ થયો છે, આજે પણ સૂર્યદેવતા લાલચોળ થઇ ગયા છે. ગામડાઓમાં પણ સવારથી જ ગરમી શ થઇ છે, કેટલાક ગામડાઓ અને જામનગર શહેરમાં પીજીવીસીએલની પ્રિ-મોનસુનની કામગીરીના બહાને આજે પણ લાઇટો બંધ કરી દેવામાં આવી છે. ગઇકાલે પટેલકોલોની, ગાંધીનગર, મચ્છરનગર, મોમાઇનગર, નવાગામ ઘેડ, રામેશ્ર્વરનગર, ઇવા પાર્ક સહિતના વિસ્તારોમાં કલાકો સુધી લાઇટો ગુલ થઇ જતાં લોકોએ ભારે પરેશાની અનુભવી હતી, એટલું જ નહીં પેટના દુ:ખાવા અને ઝાડા-ઉલ્ટીના કેસોમાં પણ વધારો થઇ ચૂકયો છે.
ગરમીને કારણે ખેતી કામ કરતા મજુરોને પણ ભારે તાપ સહન કરવો પડે છે, એટલું જ નહીં જામનગરમાં હટાણું કરવા આવતા લોકોને પણ ખુબ જ મુશ્કેલી પડે છે ત્યારે આ કાળઝાળ ગરમીને કારણે લોકો વ્યથીત થયા છે. વેકેશન છે ત્યારે બાળકોને શાળાએ જવાનું ન હોય તેને રાહત મળી છે પરંતુ લગ્નગાળો હોય લોકો પાણીની પ્યાસ બુઝાવવા વલખા મારી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech