જામનગરમાં હજુ ૫ણ ઠંડી-ગરમીની સિઝનથી લોકો હેરાન-પરેશાન: તાપમાન ૩૫.૨ ડીગ્રી

  • November 09, 2023 01:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર સહિત સમગ્ર હાલારમાં ધીરે-ધીરે શિયાળાની અસર થઇ રહી છે, ત્યારે પણ આજે વ્હેલી સવારે ઠંડક જોવા મળી હતી અને લોકોએ એસી-પંખા બંધ કર્યા હતાં. બપોરના સમયે હજુ પણ ગરમીનો માહોલ જોવા મળ્યો છે, શિયાળો મોડો બેઠો છે, શરદપૂનમ પણ પૂર્ણ થઇ ચૂકી છે ત્યારે લઘુતમ તાપમાન ધીરે-ધીરે ઘટી રહ્યું છે અને ૨૧.૮ ડીગ્રીએ પહોંચ્યું છે. ત્યારે ગરમીમાં વધારો થયો છે અને તાપમાન ફરીથી ૩૫ ડીગ્રી નજીક આવી ગયું છે.
આજ સવારથી તાપમાનનો ઘટાડો જોવા મળ્યો છે અને ઠંડક હોવાના કારણે લોકોએ ગુલાબી ઠંડીનો અનુભવ કર્યો છે, ગામડાઓમાં પણ ગઇકાલે સાંજે અને સવારે ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ રુમના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન  ૩૫.૨ ડીગ્રી રહ્યું હતું, લઘુતમ તાપમાન ૨૧.૮ ડીગ્રી, હવામાં ભેજ ૫૯ ટકા અને પવનની ગતિ ૧૦ થી ૧૫ કિ.મી. પ્રતિકલાક રહી હતી.
આજ સવારથી જી.જી.હોસ્પિટલની ઓપીડીમાં પણ આ પ્રકારના દર્દીઓ જોવા મળ્યા હતાં. હવામાં ભેજ વધતા બપોરના ૧૧ થી ૫ દરમ્યાન ગરમીનો માહોલ જોવા મળ્યો છે.
મિશ્ર ઋતુને કારણે જી.જી.હોસ્પિટલમાં ૨૫૦થી વધુ અને ખાનગી હોસ્પિટલમાં ૧૦૦થી વધુ તાવના કેસ નોંધાઇ ગયા છે, બે દિવસમાં ૩૫૦ દર્દીઓમાં વાયરલ ઇન્ફેકશન, ગળામાં દુ:ખવું, તાવ, શરદી, ઉધરસના કેસો જોવા મળ્યા છે ત્યારે હજુ પણ બપોરે અસહ્ય ગરમી પડે છે, શિયાળાની અસર હજુ જોઇએ એટલી થઇ નથી. જી.જી.હોસ્૫િટલમાં દરરોજના ૪૦ જેટલા દર્દીઓને દાખલ કરવા પડે છે, એટલે કે જામનગરમાં દર્દીઓ દિવસેને દિવસે વધતા જાય છે.
સાંજે થોડો પવન હોવાથી લોકોને રાહત થાય છે, પરંતુ નવરાત્રી બાદ ઠંડી હોવી જોઇએ તેના બદલે હજુ પણ લોકો ગરમીના માહોલમાં જીવી રહ્યા છે, જો કે આ વખતે ઠંડી બહુ નહી પડે તેવી હવામાન ખાતાની આગાહી છે, જો કે આ વખતે ત્રણ અઠવાડીયા ઠંડી મોડી શરુ થાય તેમ હવામાન ખાતુ કહે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application