હરિયાણામાં 3 અપક્ષ ધારાસભ્યો ભાજપને છોડી કોંગ્રેસમાં જોડાયા

  • May 08, 2024 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હરિયાણામાં અચાનક મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે. અહીં ભાજપમાંથી ત્રણ અપક્ષ ધારાસભ્યોએ પોતાનું સમર્થન પાછું ખેંચી લીધું છે. અપક્ષોમાં પુંડરીના ધારાસભ્ય રણધીર ગોલન, નીલોખેરીના ધારાસભ્ય ધરમપાલ ગોંદર અને ચરખી દાદરીના ધારાસભ્ય સોમવીર સાંગવાનનો સમાવેશ થાય છે. આ ધારાસભ્યોએ ભાજપ સરકારમાંથી તેમનો ટેકો પાછો ખેંચી લીધો હતો અને કોંગ્રેસને સમર્થન આપ્યું હતું. ત્યારબાદ કોંગ્રેસે તરત જ ભાજપ સરકારને લઘુમતી ગણાવવાનું શરૂ કર્યું. જ્યારે ભાજપે કહ્યું કે ચિંતા કરવાની કોઈ વાત નથી. ત્રણેય ધારાસભ્યોએ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપ્ન્દિર સિંહ હુડ્ડા અને રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષ ઉદય ભાનની હાજરીમાં રોહતકમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં સમર્થન પાછું ખેંચવાની જાહેરાત કરી હતી. આ દરમિયાન અપક્ષ ધારાસભ્ય ગોંડરે કહ્યું કે અમે સરકારમાંથી સમર્થન પાછું ખેંચી રહ્યા છીએ. અમે કોંગ્રેસને અમારું સમર્થન આપી રહ્યા છીએ. અમે ખેડૂતોના પ્રશ્નો સહિત વિવિધ મુદ્દાઓને લઈને આ નિર્ણય લીધો છે. 12 માર્ચે જ નાયબ સિંહ સૈનીએ હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. 13 માર્ચે ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. આ અચાનક રાજકીય ઉલટફેર પર હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ કહ્યું, મને માહિતી મળી છે કે કોંગ્રેસ હવે અમુક લોકોની ઈચ્છા પૂરી કરવામાં વ્યસ્ત છે. હવે કોંગ્રેસને લોકોની ઈચ્છાઓ સાથે કોઈ લેવાદેવા નથી.
હવે સવાલ એ થાય છે કે શું ત્રણ અપક્ષ ધારાસભ્યોએ સમર્થન પાછું ખેંચી લેવાના કારણે હરિયાણા સરકાર મોટા સંકટમાં છે કે પછી સરકાર લઘુમતીમાં આવી ગઈ છે? તો જવાબ છે ના. કારણ કે, ભાજપ પાસે હજુ પણ 45 ધારાસભ્યોનું સમર્થન છે, જેમાં 40 ધારાસભ્યો અને પાંચ અપક્ષનો સમાવેશ થાય છે. બીજો પ્રશ્ન એ છે કે શું ત્રણ અપક્ષોના સમર્થન પરત ખેંચવાથી કોંગ્રેસ પાસે સરકાર બનાવવાની કોઈ તક છે? આનો જવાબ પણ અત્યારે ના જ છે. કારણ કે કોંગ્રેસ પાસે ત્રીસ ધારાસભ્યો છે. જ્યારે ત્રણ વધુ ઉમેરાયા ત્યારે આ સંખ્યા 33 થઈ ગઈ. તે જ સમયે, જેજેપીના 10 ધારાસભ્યો અત્યારે કોંગ્રેસમાં જોડાવાના નથી.હરિયાણામાં કુલ 90 વિધાનસભા સીટો છે. અહીંનો જાદુઈ નંબર 46 છે. એટલે કે કોઈપણ પક્ષને સરકાર બનાવવા માટે ઓછામાં ઓછા 46 ધારાસભ્યોની જરૂર હોય છે. પરંતુ રાજ્યમાં બે બેઠકો ખાલી છે. આ સાથે 88 બેઠકો બાકી છે. વાસ્તવમાં કરનાલ લોકસભા ચૂંટણી લડી રહેલા ખટ્ટરે કરનાલના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તો હરિયાણાના પૂર્વ મંત્રી રણજીત સિંહ ચૌટાલાએ પણ માર્ચમાં ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. તેઓ રાનિયા મતવિસ્તારમાંથી અપક્ષ ધારાસભ્ય હતા અને 24 માર્ચે ભાજપમાં જોડાયા બાદ રાજીનામું આપ્યું હતું.


શું ભાજપ સરકારે બહુમતી સાબિત કરવી પડશે?
હવે સવાલ એ થાય કે શું કોંગ્રેસ હવે ભાજપ્ને ગૃહમાં બહુમતી સાબિત કરવા માટે કહી શકે છે? જવાબ ના છે. કારણ કે 13 માર્ચે જ નાયબ સિંહ સૈનીની સરકારે બહુમત સાબિત કરી દીધો હતો. અને નિયમ એવો છે કે આ પછી 6 મહિના સુધી કોઈ વિશ્વાસ મત લઈ શકાય નહીં. એટલે કે 13 સપ્ટેમ્બર સુધી કોઈ પણ વ્યક્તિ વિશ્વાસ મત લાવી શકશે નહીં. આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે. ની ટિકિટ પર હિસાર લોકસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application