ગીર સોમનાથ જિલ્લામાં ૩૪૮ ખેડૂતોએ ૬૦૦૦ સરકારી સહાયથી મોબાઈલ ફોન ખરીદ્યા

  • February 07, 2024 10:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગીર સોમનાથ જિલ્લા માં વર્ષ ૨૦૨૩-૨૪માં જિલ્લાના ૩૪૮ જેટલા ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદીનો લાભ મળ્યો છે. આ ખરીદી પર રૂ.૨૦ લાખ થી વધુની સહાય ચૂકવવામાં આવી છે. 

ગીર સોમનાથ જિલ્લાનાં ભેટાળી ગામનાં સ્માર્ટફોન યોજનાના લાભાર્થી ખેડૂત વિજયસિંહ ઝાલાએ આ અંગે જણાવ્યું હતું કે, સ્માર્ટફોન દ્વારા બિયારણો અને પાકમાં રાખવાની કાળજી અંગેની સચોટ માહિતી સ્માર્ટફોન થકી સરળતાથી મળી રહે છે. તેમજ વરસાદ અને વાવાઝોડા સહિતની આગોતરી માહિતી મળી રહે છે.

 તેનાથી સંભવિત  અગાહીના અનુસંધાને આગોતરું આયોજન કરીને નુકસાનીથી બચી શકાય છે. આ સાથે, અલગ- અલગ માર્કેટિંગ યાર્ડમાં જણસના ભાવોની જાણકારી મેળવવાથી જણસના ઉત્પાદનના યોગ્ય ભાવ મેળવી શકીએ છીએ.

તેમણે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, પાકમાં સંભવિત રોગ-જીવાત ઉપદ્રવની માહિતી, કૃષિ જગતના પ્રકાશનો, નવીનતમ ખેતી પદ્ધતિ, ખેતીવાડી યોજનાઓ વગેરેની જાણકારી સ્માર્ટફોનના માધ્મયથી ખૂબ સરળતાથી મળી શકે છે. જેના કારણ સમયની સાથે નાણાનો બચાવ થાય છે.

સ્માર્ટફોન ખરીદી આ યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી પર  ખેડૂતોને મહત્તમ રૂ.૬,૦૦૦ની સુધીની મળે છે. જેમાં ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદ કિંમતના ૪૦ ટકા સહાય અથવા રૂ.૬,૦૦૦ બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application