અમદાવાદમાં અટલ બ્રિજ પરનો કાચ તૂટ્યો, મુલાકાતીઓને કાચથી દૂર રહેવા અપાઇ સૂચના

  • April 05, 2023 11:25 PM 

Aajkaalteam

અમદાવાદ શહેરમાં સૌથી હોટ ફેવરીટ સ્થળમાં અટલ બ્રિજનો સમાવેશ થાય છે. જેને હજૂ એક વર્ષ પણ નથી થયુ અને આજે તેનો કાચ તુટ્યાની ઘટના સામે આવી હતી. હાલ તો તંત્ર દ્વારા કોઈ જાનહાની ન થાય તે માટે બેરિકેટ લગાવી દેવામાં આવ્યા છે. તેમજ મુલાકાતીઓને કાચથી દૂર રહેવા માટે સૂચના પણ અપાઈ છે.


અમદાવાદીઓનાં મનપસંદ સ્થળમાં શહેરના મધ્યમાં આવેલા અટલ બ્રિજન સમાવેશ થાય છે. અને જ્યારે પણ રજા હોય ત્યારે અમદાવાદીઓ આ સ્થળ પર ફરવા નીકળી પડે છે. તેમજ અટલ બ્રિજ પર જઈ ફોટા પડાવતા પડાવતા થાકતા નથી. ત્યારે આજે અચાનક જ કાચ તૂટ્યાના સમાચાર સામે આવ્યા હતા. આ સમાચાર સામે આવતાની સાથે જ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાજેતરમાં જ અમદાવાદવાસીઓને એક નવા નજરાણા તરીકે અટલ બ્રિજની ભેટ આપવામાં આવી હતી. ત્યારે રિવર ફ્રન્ટ પર બનાવેલા આ અટલ બ્રિજમાં આજે અચાનક જ કાચ તૂટી ગયાની ઘટના ઘટી હતી. આ ઘટના ઘટતાની સાથે જ લોકોમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે. કેમકે સૌથી વધુ લોકો અમદાવાદીઓ રજાના દિવસોમાં અટલ બ્રિજ પર જતા હોય છે. આ બ્રિજ બનવાની વાત કરીએ તો હજુ અંદાજીત એક વર્ષની અંદર કાચ તુટ્યાનુ સામે આવ્યું છે. ત્યારે કામગીરી પર અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે.  કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે હાલ બેરિકેટ લગાવી તંત્રએ સંતોષ માન્યો છે. આ સાથે જ બ્રિજ પર મુલાકાતીઓને કાચથી દૂર રહેવા સૂચના અપાઈ છે. હાલ તંત્ર દ્વારા તકેદારીનાં ભાગરૂપે તાત્કાલિક ધોરણે તૂટેલા કાચની આજુબાજુ બેરીકેટ મુકી દિધા છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application