ખંભાળિયા સફાઈ કામદારોને છૂટા કરાતા પાલિકા સામે પ્રતિક ઉપવાસ આંદોલન

  • August 11, 2023 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા નગરપાલિકામાં કામ કરતા વાલ્મિકી સમાજના સફાઈ કામદારોને છુટા કરવામાં આવતા નગરપાલિકા સામે કામદારોનું પ્રતિક ઉપવાસ આંદોલન હાથ ધરવામાં આવ્યું છે. ખંભાળિયા પાલિકામાં રોજમદાર સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા મહિલા રોજમદારોને પાલિકા દ્વારા નોકરીમાંથી છૂટા કરવાનો આદેશ આપતા આ મહિલાઓએ વાલ્મિકી સમાજના પ્રમુખ વજુભાઈ વાઘેલા તથા આગેવાનોની ઉપસ્થિતિમાં ગત તારીખ ૮ ઓગસ્ટથી પાલિકા કચેરી સામે પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. આ ઉપવાસ આંદોલનને ત્રણ દિવસ થયા હોવા છતાં પણ પાલિકા દ્વારા કોઈ પ્રત્યુતર કે હકારાત્મક અભિગમ દાખવવામાં ના આવતા આગામી દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર બને તો નવાઈ નહીં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application