IPL 2024: બેંગ્લોરની જીત, પંજાબને 4 વિકેટથી હરાવ્યું

  • March 26, 2024 12:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિરાટ કોહલી અને દિનેશ કાર્તિકના જોરદાર પ્રદર્શનના આધારે RCBએ તેમના હોમ ગ્રાઉન્ડ ચિન્નાસ્વામી પર પંજાબ કિંગ્સ સામેની મેચ 4 વિકેટે જીતી લીધી હતી. આ સાથે RCBએ IPL 2024માં જીતનું ખાતું ખોલ્યું.


IPL 2024ની છઠ્ઠી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સામનો પંજાબ કિંગ્સ (RCB vs PBKS) સામે થયો હતો. આ મેચમાં RCBએ પંજાબ કિંગ્સને 4 વિકેટથી હરાવ્યું હતું અને આ સિઝનની પ્રથમ મેચ જીતી હતી. મેચમાં પ્રથમ બેટિંગ કરતા પંજાબે 6 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા.


ટીમ વતી કેપ્ટન શિખર ધવને સૌથી વધુ 45 રન બનાવ્યા, જ્યારે જીતેશ શર્માએ 27 રનનું યોગદાન આપ્યું. છેલ્લી ઓવરોમાં શશાંક સિંહે શાનદાર બેટિંગ કરી અને માત્ર 8 બોલમાં અણનમ 21 રન બનાવ્યા. બોલિંગમાં RCB તરફથી સિરાજ અને મેક્સવેલે 2-2 વિકેટ લીધી હતી.


જવાબમાં વિરાટ કોહલીએ આરસીબી ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી, પરંતુ ફાફ ડુ પ્લેસિસ સસ્તામાં આઉટ થઈ ગયો હતો. ત્યાર બાદ સતત વિકેટો પડતી રહી. અનુજ રાવતે 11 રન બનાવ્યા હતા. મેચમાં વિરાટ કોહલી (77) અને અનુજ રાવતની વિકેટો પડ્યા બાદ એક ક્ષણ માટે એવું લાગી રહ્યું હતું કે આ મેચ પંજાબના હાથમાં છે, પરંતુ દિનેશ કાર્તિકે સાબિત કરી દીધું કે તેને એક્સપર્ટ ફિનિશર કેમ માનવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application