IND vs AFG: શું ત્રીજી T20 પર વરસાદની અસર પડશે? બેંગલુરુમાં મેચના દિવસે હવામાન રહેશે આવુ...

  • January 15, 2024 11:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 T20 મેચોની શ્રેણીની ત્રીજી T20 17 જાન્યુઆરીએ રમાશે. બંને ટીમો બેંગ્લોરના એન.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સામસામે ટકરાશે.


ઈન્દોર T20માં ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું. આ રીતે ભારતીય ટીમ ત્રીજી ટી-20 મેચની શ્રેણીમાં 2-0થી આગળ છે. ત્યારે આ શ્રેણીની ત્રીજી T20 17 જાન્યુઆરીએ રમાશે. બંને ટીમો બેંગ્લોરના એન.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સામસામે ટકરાશે. પરંતુ શું ત્રીજી ટી20 વરસાદને કારણે ધોવાઈ જશે? શું મેચના દિવસે બેંગ્લોરમાં વરસાદ પડશે? હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ત્રીજી T20ના દિવસે બેંગ્લોરમાં વાદળછાયું વાતાવરણ રહેશે.


મેચના દિવસે રહેશે વાદળછાયું વાતાવરણ

ભારત-અફઘાનિસ્તાન ત્રીજી T20ના દિવસે બેંગ્લોરમાં મહત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહેવાનું અનુમાન છે. આ ઉપરાંત આકાશ વાદળછાયું રહેશે. પરંતુ ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર છે કે વરસાદની કોઈ શક્યતા નથી. વાસ્તવમાં આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે શરૂ થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મેચના દિવસે વાદળછાયું રહેશે પરંતુ વરસાદ નહીં પડે જે રાહતની વાત છે.


આ પહેલા ટીમ ઈન્ડિયાએ ઈન્દોર T20માં અફઘાનિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલા અફઘાનિસ્તાને 20 ઓવરમાં 172 રન બનાવ્યા હતા. આ રીતે ટીમ ઈન્ડિયાને 173 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારતીય ટીમે 15.4 ઓવરમાં 4 વિકેટે 173 રન બનાવીને મેચ જીતી લીધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application