આઇએમએ રાજકોટના નવા પ્રેસિડેન્ટ ડો.પારસ શાહ: સેક્રેટરીપદે ડો.સંજય ટીલાળા

  • March 24, 2023 10:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના નવા વર્ષના સભ્યોની નિયુક્તિ કરવામાં આવી છે. જેમાં પ્રેસિડેન્ટ તરીકે ડો.પારસ શાહ અને સેક્રેટરીપદે ડો.સંજય ટીલાળાની નિમણૂક કરવામાં આવી છે. નવી ટીમની ઇન્સ્ટોલેશન સેરેમની આગામી તા.2 એપ્રિલના રોજ હેમુગઢવી હોલ ખાતે યોજાશે.


આ કાર્યક્રમમાં નેશનલ આઇએમએના સેક્રેટરી ડો.અનિલ નાયક, ગુજરાત આઇએમએના પ્રેસિડેન્ટ ડો.મહાવિરસિંહ જાડેજા, ગુજરાત આઇએમએના સેક્રેટરી ડો.મેહલ શાહ, ડો.અતુલ પંડયા, ડો.હિરેન કોઠારી, ડો.સંજય ભટ્ટ, ડો.વિશાલ પટેલ સહિત સૌરાષ્ટ્રભરના તબીબોની હાજરી રહેશે.

ગત વર્ષની ટર્મમાં ડો.સંજય ભટ્ટ પ્રેસિડેન્ટ તરીકે અને સેક્રેટરી તરીકે ડો.તુષાર પટેલ કાર્યરત રહ્યા હતાં. તેમના કાર્યકાળ દરમિયાન દર્દીઓ અને ડોકટરો વચ્ચેના સબંધોને મજબૂત કરવા ઉપરાંત લોકોના સ્વાસ્થ્યને જાગૃત કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતાં. 31 માર્ચે આઇએમએનું આ વર્ષ પૂર્ણ થશે અને એપ્રિલ મહિનાથી નવી ટીમ એકટિવ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application