હરિયાણામાં ચૂંટણી લડશે કેજરીવાલ ! આપના સાંસદે પ્રેસ કોન્ફરન્સમાં આપ્યા સંકેત

  • September 19, 2024 04:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)





આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ સંદીપ પાઠકે શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને હરિયાણા ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે. તેમને કહ્યું કે, "અમે હરિયાણામાં ચૂંટણી જીતવા માટે પૂરી તાકાત સાથે મેદાનમાં ઉતર્યા છીએ. અમે લોકોના મુદ્દા લઈને લોકોની વચ્ચે જઈશું અને લોકો અમને આશીર્વાદ આપશે."




તેમને કહ્યું કે, અમે તમામ વિધાનસભા બેઠકો પર સારી સરકારી શાળાઓ અને હોસ્પિટલોના મુદ્દાઓ સાથે ચૂંટણી લડી રહ્યા છીએ. ખેડૂતો, સૈનિકો અને યુવાનોને ન્યાય અપાવી રહ્યા છીએ. તેમને કહ્યું કે, અરવિંદ કેજરીવાલ 20 સપ્ટેમ્બરથી હરિયાણામાં રોડ શો કરશે. આમ આદમી પાર્ટી હરિયાણા વિધાનસભાની ચૂંટણી પૂરી તાકાત સાથે લડશે અને અરવિંદ કેજરીવાલ આવતીકાલે 20મી સપ્ટેમ્બરથી રાજ્યની વિવિધ વિધાનસભાઓમાં રોડ શો કરશે.




તમામ પક્ષોએ માત્ર જનતાને હેરાન કર્યાઃ સંદીપ પાઠક




સંદીપ પાઠકે વધુમાં કહ્યું કે, હરિયાણામાં બીજેપીને ખુદ તેના મુખ્યમંત્રી પર ભરોસો નથી, તેથી તેમણે ખટ્ટર સાહેબને બદલે નાયબ સિંહ સૈનીને મુખ્યમંત્રી બનાવ્યા. ભાજપના લોકો પણ જાણે છે કે તેઓ સત્તા પરથી જવાના છે. હરિયાણાની જનતાએ તમામ પાર્ટીઓને પૂરી તક આપી, પરંતુ આ તમામ પાર્ટીઓએ લોકોને જ પરેશાન કર્યા. આ વખતે જનતા પરિવર્તન લાવવા માટે આમ આદમી પાર્ટીને પસંદ કરવા જઈ રહી છે.




તમામ પાર્ટીઓ AAPના મેનિફેસ્ટોની નકલ કરી રહી છેઃ સંદીપ પાઠક



પાઠકે કહ્યું કે, આજે તમામ પાર્ટીઓ આમ આદમી પાર્ટીના મેનિફેસ્ટોની નકલ કરી રહી છે. હું તેને અભિનંદન આપવા માંગુ છું, કારણ કે જો કોઈ સારું કામ કરી રહ્યું હોય તો દરેકે તેની નકલ કરવી જોઈએ અને તેની ટીકા કરવી જોઈએ નહીં. પરંતુ તેઓ તેનો અમલ કેવી રીતે કરશે? આ તમામ પક્ષો માત્ર નીતિઓ જાહેર કરે છે પરંતુ તેનો અમલ કરતા નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application