મારે કોર્ટમાં નાસભાગ નથી જોઈતી: સીજેઆઈ ચંદ્રચુડ

  • August 10, 2024 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સુપ્રીમ કોર્ટ ખાતે લાપતા લેડીઝનું ખાસ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું જેમાં સીજેઆઈ ડી. વાય. ચંદ્રચુડ સહિત સુપ્રીમના જજો અને રજિસ્ટ્રી અધિકારીઓએ આ ફિલ્મ જોઈ હતી. ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન આમિર ખાન અને કિરણ રાવ પણ હાજર હતા.કિરણ રાવ દ્રારા નિર્દેશિત ફિલ્મ 'લાપતા લેડીઝ' માર્ચ મહિનામાં જ રીલિઝ થઈ હતી. આ ફિલ્મ રિલીઝ થયાના ૫ મહિના પછી સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. આ દરમિયાન આમિર ખાન પણ સુપ્રીમ કોર્ટમાં આવ્યો હતો. આમિર ખાને ત્યાં હાજર લોકો સાથે વાત કરી. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે તેમનો પરિચય બધા સાથે કરાવ્યો અને એવી ટકોર કરી કે તેઓ કોર્ટમાં નાસભાગ ઇચ્છતા નથી.લાપતા લેડીઝના સ્ક્રીનિંગની પહેલ ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ દ્રારા કરવામાં આવી હતી. આ પછી એવું કહેવામાં આવ્યું હતું કે ૯ ઓગસ્ટે કોમ્યુનિકેશન ડિવિઝનમાં આ ફિલ્મનું સ્ક્રીનિંગ થશે, જેમાં તમામ સુપ્રીમ ન્યાયાધીશો તેમની પત્નીઓ સાથે હાજરી આપશે. આ દરમિયાન રજિસ્ટ્રીના સભ્યો પણ હાજર રહેશે. આ દરમિયાન ફિલ્મના નિર્દેશક કિરણ રાવ અને નિર્માતા આમિર ખાન પણ સ્ક્રીનિંગનો ભાગ બન્યા હતા.
આમિર ખાનનું સ્વાગત કરતાં સીજેઆઈ ચંદ્રચુડે કહ્યું, 'હુ કોર્ટમાં કોઈ નાસભાગ મચી જવા માંગતો નથી, પરંતુ અમે આમિર ખાનનું સ્વાગત કરીએ છીએ જેઓ અહીં ફિલ્મની સ્ક્રીનિંગ માટે આવ્યા છે.'એટર્ની જનરલ આર. વેંકટરામાણીની વાત સાંભળીને આમિર ખાન પણ હસી પડો હતો. સ્ક્રીનીંગ દરમિયાન એટર્ની જનરલ આર. વેંકટરામણીએ કહ્યું, 'આજે દરબાર તારાઓથી શણગારવામાં આવ્યો છે.' તેમના નિવેદન પર  અને આમિર ખાન હસી પડા હતા. આ પ્રસંગે તમામ જજ પોતપોતાની પત્નીઓ સાથે આવ્યા હતા. મળતી માહિતી મુજબ, આ ફિલ્મનું સ્ક્રિનિંગ યોજવાનો વિચાર સીજેઆઈની પત્નીનો હતો.'લાપતા લેડીઝ' ફિલ્મના સ્ક્રિનિંગ અંગે સીજેઆઈએ કહ્યું હતું કે, 'આ સુપ્રીમ કોર્ટના કર્મચારીઓને સંવેદનશીલ બનાવવાની પહેલ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application