રાજકોટમાં પરીક્ષામાં નાપાસ થવાના ડરથી હોમિયોપેથીના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, માતા-પિતા મજૂરી કરે છે

  • February 03, 2025 10:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટની મેટોડા જીઆઇડીસીમાં રહેતા અને ગાર્ડી કોલેજમાં હોમિયોપેથીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા 20 વર્ષનાં વિદ્યાર્થીએ નાપાસ થવાના ડરથી ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા અરેરાટી વ્યાપી છે. પરીક્ષામાં નાપાસ થવાના ડરના કારણે યુવાને આપઘાતનું અંતિમ પગલું ભરી લેતા પરિવારમાં કલ્પાંત વ્યાપ્યો છે. યુવાનના મૃત્યુથી માતા-પિતાએ યુવાન પુત્ર ગુમાવ્યો છે.


પંખામાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાધો
પ્રાપ્ત વિગત મુજબ મેટોડા જીઆઇડીસીમાં રહેતો 20 વર્ષીય સૌરવ પ્રફુલભાઈ પરમાર પોતાના ઘરે હતો ત્યારે પંખામાં ચુંદડી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. જેથી તેને સારવાર માટે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ આ યુવાનનું મૃત્યુ નીપજ્યું હોવાનું તબીબોએ જાહેર કર્યું હતું. હોમીયોપેથીમાં ભણતા આ વિદ્યાર્થીની તાજેતરમાં જ પરીક્ષા પૂર્ણ થઈ હતી અને પેપરો નબળા જતા નાપાસ થવાના ડરથી આપઘાતનું અંતિમ પગલું ભરી લીધાનું સામે આવ્યું છે. 


માતા-પિતા મજૂરી કામ કરે છે
મૃતક વિદ્યાર્થીને એક ભાઈ છે અને માતા-પિતા મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવાર મૂળ જૂનાગઢના મેંદરડાનો છે અને હાલ મેટોડા જીઆઇડીસીમાં રહે છે. આ યુવાન ગાર્ડી કોલેજમા અભ્યાસ કરી રહ્યો હતો. 


ગૌરીદળમાં 21 વર્ષના યુવાને ગળેફાંસો ખાધો
આપઘાતના બીજા બનાવમાં મોરબી રોડ પરના ગૌરીદળ ગામમાં રહેતા 21 વર્ષીય ઉદય પ્રવીણભાઈ અજાણીએ કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો. જે અંગે પરિવારજનોને જાણ થતા જ તુરંત 108 એબ્યુલન્સને બોલાવવામાં આવી હતી. પરંતુ તબીબે જોઈ તપાસી યુવાનનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. કુવાડવા પોલીસ મથક દ્વારા ગુનો નોંધી આપઘાતનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News