ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોના ખિસ્સા પર વધુ એક બોજ નાખવામાં આવ્યો છે. નિગમે ચાલતી બસ સેવાના ભાડામાં એકાએક 10 ટકાનો વધારો ઝીંક્યો છે. આ નવા દરો આજ મધરાત્રિથી અમલમાં આવશે, જેના કારણે રાજ્યભરના આશરે 27 લાખ મુસાફરો સીધી રીતે પ્રભાવિત થશે.
વર્ષ 2014 બાદ પહેલીવાર 2023માં એટલે કે 10 વર્ષ બાદ એસટી નિગમ દ્વારા 1 ઓગસ્ટ 2023ના રોજ 25 ટકા સુધીનો ભાડાંમાં વધારો કરવામાં આવ્યો હતો. GSRTC દ્વારા આ લાગુ થનારાં ભાડાંમાં 48 કિમી સુધી રૂ. એકથી લઈને 6 રૂપિયા સુધીનો વધારો કર્યો હતો. અને હવે ફરી વધારો કરવામાં આવ્યો છે.
48 કિમી સુધીની મુસાફરીમાં રૂ. 1થી 4નો વધારો
એસટી નિગમ દ્વારા આજે ફરીથી બસના ભાડાં વધારવામાં આવ્યો છે. 28 માર્ચ 2025ની મધરાતથી એટલે કે 29 માર્ચ 2025 રાત્રે 12 વાગ્યાથી 10 ટકાનો ભાડાંમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં લોકલ સર્વિસમાં કુલ મુસાફરો પૈકી 85 ટકા મુસાફરો (દરરોજ અંદાજીત 10 લાખ) 48 કિમી સુધીની મુસાફરી કરે છે જેમાં માત્ર રૂપિયા એકથી રૂપિયા 4 સુધીનો ભાડાંમાં વધારો કરવામાં આવ્યો છે.
આ ભાવ વધારાથી સામાન્ય અને મધ્યમ વર્ગના મુસાફરો પર સીધી અસર થશે, જેઓ મુસાફરી માટે એસટી બસ પર નિર્ભર છે. રોજિંદા મુસાફરી કરતા લોકો અને ગ્રામીણ વિસ્તારોમાં અવરજવર કરતા લોકો માટે આ વધારો આર્થિક બોજ સમાન સાબિત થઈ શકે છે. નિગમના આ નિર્ણયથી મુસાફરોમાં નારાજગી જોવા મળી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજન્મ-મરણ નોંધણીના દાખલાની એક કોપીના રૂ.૫૦ વસુલવાનું શરૂ, હોબાળો
April 01, 2025 03:17 PMકેશવ પ્લાસ્ટિકના કારખાનામાથી 240 બોટલ દારૂ ઝડપી પાડતી પીસીબી
April 01, 2025 03:13 PMપશ્ચિમ રાજકોટે ૧૭૦ કરોડનો વેરો ભર્યો; વોર્ડ નં.૭ મોખરે
April 01, 2025 03:11 PMગાઝામાં ઇઝરાયેલના હુમલાઓમાં 10 દિવસમાં 300થી વધુ બાળકોના મોત, યુએનએ જાહેર કર્યા આંકડા
April 01, 2025 03:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech