ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા જાયન્ટસ ગ્રુપના ઉપક્રમે આગામી તારીખ 25 નવેમ્બરથી તારીખ 1 ડિસેમ્બર સુધી અત્રે બંગલા વાડી - શક્તિનગર વિસ્તારમાં આવેલી ઔદિચ્ય ગોહિલ વાડી બ્રહ્મ સમાજની વાડી ખાતે સમૂહ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સર્વે પિતૃ મોક્ષાર્થે યોજવામાં આવેલી આ ભાગવત સપ્તાહમાં જાણીતા કથાકાર શાસ્ત્રી વિજયભાઈ ડી. ભટ્ટ (મુંબઈવાળા) બિરાજીને કથામૃતનું રસપાન કરાવશે.
આ ભાગવત સપ્તાહમાં ભોજન પ્રસાદીના દાતા ભામાશા ભીખુભા હરિસિંહ વાઢેરના સહયોગથી ભોજન પ્રસાદીનું આયોજન કરાયું છે. આ સમૂહ ભાગવત સપ્તાહમાં રૂ. 7,551 ભરીને પોથી નોંધાવી શકાશે. જે માટે તા. 1 નવેમ્બર સુધીમાં રમેશભાઈ ભાદરકા (મો. 9979241306), રવિભાઈ દવે (9408321622), વિજયભાઈ નકુમ અને ઈલાબેન વાઢેરનો સંપર્ક સાધવા સંસ્થાના પ્રમુખ હિતિશા (હેલી) સંદીપ ખેતીયા અને મહામંત્રી બીનલબેન જોશી દ્વારા ધર્મપ્રેમી જનતાને અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડિજિટલ ગુજરાત: ભારતનેટ ફેઝ-2 હેઠળ 8000થી વધુ ગ્રામ પંચાયતોને મળ્યું હાઈસ્પીડ ઇન્ટરનેટ
October 03, 2024 08:29 PMરાજ્યમાં 1903 સ્ટાફ નર્સની કરાશે ભરતી, સમગ્ર ભરતી પ્રક્રિયા 6 થી 8 મહિનામાં પૂર્ણ થશે
October 03, 2024 08:27 PMરાજકોટ- આર.ટી.ઓ. ખાતે આવતીકાલે વાહન માટેનો ડ્રાઈવીંગ ટેસ્ટ ટ્રેક રહેશે બંધ
October 03, 2024 08:10 PMકોંગ્રેસમાં જોડાતા જ અશોક તંવરે ભાજપનું ટેન્શન વધાર્યું
October 03, 2024 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech