દાણીધારધામ ખાતે ગુરુપુર્ણિમા ઉત્સવનું ભવ્ય આયોજન

  • June 29, 2023 10:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તું હી રામ પ્યારે રામ ના નાદથી ગુંજતી તેમજ બાર જીવાત્માઓની ચૈતન્ય સમાધિ આવેલ છે તેવી સંતશ્રી નાથજીદાદાની પાવનકારી તેમજ સંતશ્રી ઉપવાસી બાપુની તપોભૂમિ અને સૌરાષ્ટ્રની અતિ પ્રાચીન અને પૌરાણિક દાણીધાર ધામમાં આગામી તા.૩ના રોજ ગુરુપૂર્ણિમા ઉત્સવ ધામધૂમથી ઉજવવાનું આયોજન કરેલ છે. સોમવાર તા. ૩-૭-૨૩ના સવારે ૯.૧૫ કલાકે ગુરુપૂર્ણિમાના ઉત્સવની ઉજવણીમાં ચરણ પાદુકાનું પૂજન કરવામાં આવશે. આ પાવન પ્રસંગે સમસ્ત સેવકગણ તેમજ ધર્મપ્રેમી ભાવિક ભકતોને સહકુટુંબ મિત્રમંડળ સહિત ઉપસ્થિત રહેલ. મહંત શ્રી સુખદેવદાસજી ગુરુશ્રી ચતુર્ભુજદાસજી (શ્રી ઉપવાસીબાપુ) દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application