ભાવનગરના રાજાશાહી સમયના જશોનાથ મહાદેવ મંદિરના જીર્ણોદ્વાર માટે સરકારમાંથી રૂપિયા ૯૯,૯૮,૪૦૦ મંજુર કરવામાં આવ્યા હતા. જયારે નાનીબાઇ સદાવ્રત રામજી મંદિરના વિકાસ માટે રૂપિયા ૫,૫૭,૧૦૦ વિકાસ અને જીર્ણોદ્ધાર પેટે મંજુર કરાયા હતા.
ભાવનગરમાં હાર્ડસમા વિસ્તાર ગણાતા જશોનાથ ચોક ખાતે આવેલી જશોનાથ મહાદેવ મંદિર જે રાજાશાહી સમયમાં બનાવવામાં આવેલું શિલ્પશાસ્ત્રના નિયમથી બનેલું અદભુત મંદિર છે. આ મંદિર ભાવનગરના નેક નામદાર મહારાજા જશવંતસિંહજી ગોહિલના નામ પર બનેલા આ પ્રાચીન શિવાલય સોમનાથ મહાદેવ પછી હિન્દુ વાસ્તુ-શિલ્પશાસ્ત્રના નિયમથી બનેલું મંદિર છે. ભાવનગર શહેરના જશોનાથ ચોક ખાતે આવેલું પ્રાચીન જશોનાથ મહાદેવજીનું મંદિર કાશી વિશ્વનાથની ઝાંખી કરાવતું મંદિર છે. જે સૌરાષ્ટ્રમાં સોમનાથ મહાદેવ મંદિર પછી બીજુ સ્થાન ધરાવે છે. જોકે છેલ્લા લાંબા સમયથી જશોનાથ મહાદેવ મંદિર જર્જરીત થવાને પગલે કેટલોક ભાગ તૂટીને ધરાશયી થયો છે. અને આ અંગે શહેરના અગ્રણી નાગરિકો દ્વારા મંદિરના જીર્ણોદ્રાર માટે ઉગ્ર માંગ કરી હતી. ત્યારે આખરે રાજ્ય સરકાર દ્વારા મંદિરના રીનોવેશન માટે ગ્રાન્ટની મંજૂરી આપવામાં આવી હતી. ભાવનગરના પૂર્વ અને પશ્ચિમ વિધાનસભા વિસ્તારના ધારાસભ્યોના સંયુક્ત પ્રયાસોથી શહેરનું રજવાડા વખતનું જશોનાથ મંદિર અને નાનીબાઈ સદાવ્રત રામજી મંદિર ના વિકાસ અને જીર્ણોદ્ધાર માટે ગ્રાન્ટ મંજુર કરાઈ હતી. રાજ્ય સરકાર દ્વારા જશોનાથ મહાદેવ મંદિર માટે રૂપિયા ૯૯,૯૮,૪૦૦ તેમજ નાનીબાઇ સદાવ્રત રામજી મંદિર માટે રૂપિયા ૫,૫૭૧૦૦ મંજુર કરવામાં આવેલ છે. બંન્ને ધારાસભ્યોના સંયુક્ત પ્રયાસથી થયેલ તમામ રકમ મુખ્યમંત્રીએ મંજૂર કરેલ છે. ટુંક સમયમાં આર્કિટેકની નિયુક્તિ થયા બાદ આ બન્ને મંદિરોનું રીનોવેશન શરૂ કરવામાં આવશે તેમ પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય સેજલબેન પંડ્યાની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech