અભિનેતાના પિસ્તોલ પડ્યાના અને મિસ ફાયર થયાના નિવેદન સાથે મુંબઈ પોલીસ સહમત નથી
અભિનેતા ગોવિંદા કૈક છુપાવી રહ્યો હોવાની મુંબઈ પોઈલીસને શંકા પડી છે. એવું કારણ બહાર આવ્યું છે કે ગોવિંદા રિવોલ્વર અલ્મારીમાં મૂકવા જઈ રહ્યા હતા ત્યારે અચાનક ગોળી છૂટી ગઈ. ઘટના મંગળવાર સવાર લગભગ 4.45 વાગ્યાની છે. ઘટના અંગે ગોવિંદાએ પોલીસને પોતાનું નિવેદન પણ આપ્યું હતું. જો કે મીડિયા રિપોર્ટ્સ મુજબ પોલીસ ગોવિંદાના નિવેદન સાથે પણ સહમત હોય તેવું જણાતું નથી.
બોલીવુડ અભિનેતા ગોવિંદાને મંગળવારે સવારે ગોળી વાગી હતી. ગોળી વાગવાના કારણે તેમને તરત હોસ્પિટલ ખસેડાયા હતા. તેમના પગમાંથી ગોળી કાઢી નાખવામાં આવી છે અને હવે તેઓ આઉટ ઓફ ડેન્જર છે. પરંતુ હજુ પણ તેઓ હોસ્પિટલમાં છે. એવું કહેવાય છે કે જ્યારે ગોવિંદા રિવોલ્વર અલ્મારીમાં મૂકવા જઈ રહ્યા હતા ત્યારે અચાનક ગોળી છૂટી ગઈ. પોલીસનું માનવું છે કે રિવોલ્વર પડ્યા બાદ જમીનની સપાટીને પકડીને ફાયર થઈ શકે પરંતુ રિવોલ્વર ઊભી પડે અને ઉપરની દિશામાં સીધી ઘૂંટણ પર ગોળી કેવી રીતે વાગી શકે? પોલીસને આ થિયરી પચતી નથી. એ પણ હોઈ શકે કે રિવોલ્વર હાથમાં જ રહેતા ફાયર થઈ ગયું હોય, પરંતુ એવું થાય તો શું ગોવિંદા કોઈ વાત છૂપાવી રહ્યા છે, જો આ સાચુ હોય તો એવી કઈ વાત છે અને કેમ છૂપાવવામાં આવી રહી છે.
હોસ્પિટલમાં દાખલ થયા બાદ પોલીસે ગોવિંદાનું પ્રાથમિક નિવેદન લીધુ હતું. પરંતુ હવે પોલીસ અભિનેતાના ફાઈનલ નિવેદનની રાહ જુએ છે. પોલીસના એવા અનેક સવાલ છે જેના જવાબ ગોવિંદા બરાબર આપી શકતા નથી. આવામાં ફરીથી નિવેદન લેવાશે. સૌથી મોટો સવાલ એ છે કે નીચે પડવાથી રિવોલ્વર પોતે ટ્રિગર કેવી રીતે થઈ? જો નીચે પડીને રિવોલ્વરનું ટ્રિગર આપોઆપ દબાઈ ગયું તો જમીનની સપાટીને પકડીને ફાયરિંગ થઈ શકે છે.
પોલીસને હજુ પણ પોતાના સવાલોના જવાબ મળ્યા નથી. અકસ્માત સમયે ગોવિંદાની રિવોલ્વરમાં 6 ગોળીઓ હતી જેમાંથી એક ફાયર થઈ. એક સવાલ એ પણ છે કે જો ગોવિંદા રિવોલ્વરને ઘરે રાખીને જવાના હતા તો પછી તે લોડેડ કેમ હતી? તેમણે રિવોલ્વરમાંથી બુલેટ કાઢીને કેમ ન રાખી? પોલીસને શક છે કે ગોવિંદા દુર્ઘટના સંલગ્ન કોઈ મહત્વની જાણકારી છૂપાવી રહ્યા છે. પોલીસને આશા છે કે સ્પોટ પંચનામાથી આ અંગે મહત્વના ખુલાસા થઈ શકે છે. બેલિસ્ટિક રિપોર્ટથી પણ ગોળીની દિશા અને અંતરની જાણકારી મેળવી શકાય છે. પોલીસ આ મામલે તપાસમાં એક્સપર્ટ્સની પણ મદદ લઈ રહી છે. પોલીસ આ સવાલો મુદ્દે ફરીથી ગોવિંદાનું નિવેદન લેશે. એવા પણ રિપોર્ટ્સ છે કે ગોવિંદાની પુત્રી ટીના આહૂજાની પણ પૂછપરછ થઈ છે. તેનું પણ નિવેદન લેવાયું છે, આગળ તપાસ ચાલુ છે.
લોકરમાં મૂકતી વખતે પડી હતી રિવોલ્વર
ગોવિંદાના મેનેજર શશિ સિન્હાએ જણાવ્યું કે અભિનેતાએ કોલકાતામાં એક પ્રોગ્રામ એટેન્ડ કરવાનો હતો. તેના માટે સવારે 6 વાગ્યાની ફ્લાઈટ પકડવાની હતી. આથી સવારે 4.45 વાગે ઘરેથી નીકળવાનું હતું. તે વખતે લાઈસન્સી રિવોલ્વરને લોકરમાં મૂકતી વખતે નીચે પડી અને અચાનક ગોળી છૂટી ગઈ. આ ગોળી પગમાં વાગી અને સર્જરી બાદ ડોક્ટરોએ કાઢી નાખી છે. તેમની સ્થિતિ સારી છે. હાલ હોસ્પિટલમાં છે અને ઠીક છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech