સરકારી કર્મચારીઓને સંઘના કાર્યક્રમોમાં સામેલ થવાની છૂટ

  • July 22, 2024 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સરકારી કર્મચારીઓ હવેથી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યક્રમોમાં સામેલ થઈ શકશે. અત્યાર સુધી તેમના પર આવું કરવા પર પ્રતિબંધ હતો. કેન્દ્ર સરકારે 58 વર્ષ જૂનો પ્રતિબંધ હટાવી લીધો હોવાનું કોંગ્રેસના પ્રવક્તા અને વરિષ્ઠ નેતા પવન ખેડાએ જણાવ્યું છે.જે માટે તેમણે એ પત્રનો પણ ઉલ્લેખ કર્યો છે જેમાં અગાઉ આવો નિર્દેશ અપાયો હતો.

કોંગ્રેસના પવન ખેડાએ દાવો કર્યો છે કે 58 વર્ષ પહેલા કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યક્રમોમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂક્યો હતો. પવન ખેડાનું કહેવું છે કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે તેઆદેશ પાછો ખેંચી લીધો છે. પવન ખેડાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’એક્સ’ પર પોસ્ટ કરીને આ દાવો કર્યો છે. તેમણે પોતાના દાવાની સાથે સરકારી આદેશનો ફોટો પણ શેર કર્યો છે. આ ફોટોમાં દેખાતો ઓર્ડર 9 જુલાઈ, 2024નો છે અને તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યક્રમોમાં સરકારી કર્મચારીઓની ભાગીદારી સાથે સંબંધિત છે.આ પત્રમાં જાહેર કરાયેલા નિર્દેશોમાં 30 નવેમ્બર 1966ના રોજ જાહેર કરાયેલા આદેશનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સૂચનામાં લખવામાં આવ્યું છે કે ઉપરોક્ત સૂચનાઓની સમીક્ષા કરવામાં આવી છે અને 30 નવેમ્બર 1966ના રોજ લાગુ કરાયેલી સૂચનાઓમાંથી આરએસએસનો ઉલ્લેખ દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


ગાંધીજીની હત્યા બાદ સરદારે પ્રતિબંધ મૂક્યો
સરદાર પટેલે મહાત્મા ગાંધીની હત્યા બાદ ફેબ્રુઆરી 1948માં આરએસએસ પર પ્રતિબંધ મુક્યો હતો. બાદમાં સારા વ્યવહારના દાવા બાદ પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. આ પછી પણ આરએસએસએ ક્યારેય નાગપુરમાં તિરંગો ફરકાવ્યો નથી. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે વધુમાં કહ્યું કે 1966માં વધુ એક પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો, જે આરએસએસના કાર્યક્રમોમાં સરકારી અધિકારીઓની ભાગીદારી સાથે સંબંધિત હતો. આ પ્રતિબંધ અટલ બિહારી વાજપેયીના કાર્યકાળ દરમિયાન પણ હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application