આયુષમાન હોસ્પિટલમાં ઓપરેશન દરમિયાન કિશોરીનું મોત: તબીબી બેદરકારીનો આક્ષેપ

  • October 16, 2023 03:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહરેના ૧૫૦ ફટ રિંગરોડ પર પુનીતનગર પાણીના ટાંકા પાસે વાવડી જવાના રસ્તા પર આવેલી આયુષ્માન હોસ્પિટલમાં આંતરડાના ઓપરેશન માટે દાખલ થયેલી ૧૫ કિશોરીનું ઓપરેશન દરમિયાન મોત થયું હતું. આ અંગે કિશોરીના પરિવારજનોએ તબીબી બેદરકારીનો આક્ષેપ કર્યેા હતો.જેથી મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે ખસેડવામાં આવ્યો છે.
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ,મવડી સ્મશાન પાસે કણકોટ મેઈન રોડ પર પંચશીલનગરમાં રહેતી જયોતી નરેશભાઇ રાઠોડ(ઉ.વ ૧૫) નામની કિશોરીને બે માસ પેહલાં પેટમાં દુખાવો ઉપડતાં તેનું નિદાન કરાવતાં તેણીને એપેન્ડિકસ હોવાનું બહાર આવ્યું હતું. જે બાદ પુનિતનગર પાસે આવેલ આયુષ્યમાન હોસ્પિટલમાં એપેન્ડિકસ ઓપરેશન કરાવ્યું હતું. થોડા દિવસ બાદ ફરિવાર તેને દુ:ખાવો ઉપડતાં તેમને હોસ્પિટલે સારવારમાં ખસેડાઇ હતી અને તબીબોએ તપાસ કરી તેણીને આંતરડામાં કાણું હોવાનું જણાવતાં ફરીવાર તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારે તેને મળમાર્ગમાં નળી ફિટ કરવામાં આવી હતી.

બાદમાં ગઈ તા.૧૦ ના મળમાર્ગની નળી કાઢવા માટે ઓપરેશન કરવામાં આવ્યું હતું. જે બાદ સારવારમાં રહેલ કિશોરીને ન્યુમોનિયા થયો હોવાનું તબીબોએ જણાવી તેણીને વેન્ટીલેટર પર રાખવામાં આવી હતી. દરમિયાન ગઈકાલે સારવારમાં તણીનું મોત નીપયું હતું. બનાવ અંગે મૃતકના પિતરાઈ ભાઈએ તેમની બહેનનું હોસ્પિટલ અને ત્યાંના તબીબોની બેદરકારીથી થયાનો આક્ષેપ કરતાં તાલુકા પોલીસ દોડી ગઈ હતી અને જરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.
વધુમાં મૃતકના પિતા મજૂરી કામ કરે છે. તેણી ધોરણ ૧૦ માં અભ્યાસ કરતી હતી અને ત્રણ બહેન એક ભાઈમાં વચ્ચેટ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application