રાજકોટમાં આ સ્થળ પર કરી શકાશે ગણેશ વિસર્જન..

  • September 27, 2023 01:12 PM 

રાજકોટમાં આ સ્થળ પર કરી શકાશે ગણેશ વિસર્જન..

RMC દ્રારા ગણેશ વિસર્જનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કુલ ૭ સ્થળોએ વિસર્જન કરી શકાય તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે. જેમાં આજી ડેમ ઓવરફલો સાઇટ ૧, આજી ડેમ ઓવરફલો સાઇટ ૨, આજી ડેમ ઓવરફલો સાઇટ ૩, આજી ચોકડી નજીક કૃત્રિમ કુંડ બનાવાયું છે. તેમજ વાગુદડ નદીમાં, ન્યારી ડેમ પાટીયા જામનગર રોડ ખાતે, જખરાપીરની દરગાહ નજીક સહિતના સ્થળોએ વ્યવસ્થા રાખવામાં આવી છે. ફાયર બ્રિગેડ સ્ટાફ ક્રેઇન, વિવિધ પ્રકારના ઓજારો, લાઇવ જેકેટ, બોટ સહિતની સામગ્રી સાથે તૈનાત રહેશે. ડેમ નજીક બેરિકેટ લગાડવામાં આવશે. ૧૦૦થી વધુ ફાયરના જવાનો, પોલીસ બંદોબસ્ત સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application