જામનગરમાં મર્ડર કેસનો ફરારી આરોપી ઝડપાયો

  • September 19, 2023 12:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વચગાળાના જામીન પરથી નવ માસથી પોલીસને ચકમો આપતો


જામનગરમાં મર્ડરના કેસમાં વચગાળાના જામીન પરથી છેલ્લા નવ મહીનાથી નાસતા ફરતા આરોપીને જામનગર પેરોલ ફર્લો સ્કવોડે એક બાતમીના આધારે મોરબી ખાતેથી પકડી પાડીને ફરી જેલ ખાતે સોપી આપ્યો હતો.


રાજકોટ રેન્જ આઇજી અશોકકુમારે નાસતા ફરતા તેમજ પેરોલ જમ્પ આરોપીઓને પકડી પાડવા સુચના કરતા, જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન મુજબ એલસીબી પીઆઇ જે.વી. ચૌધરીની સુચના મુજબ તથા પેરોલ ફર્લોના પીએસઆઇ એલ.જે. મિયાત્રા તથા સ્ટાફના માણસો પેરોલ ફર્લો, નાસતા ફરતા ગુનેગારોને પકડી પાડવા અંગે જરી વર્કઆઉટ કરી રહયા હતા.


દરમ્યાન સ્ટાફના સલીમભાઇ નોયડા, ભગીરથસિંહ સરવૈયા, ઘનશ્યામભાઇ ડેરવાળીયા, ભરતભાઇ ડાંગર તથા કાસમભાઇ બ્લોચને બાતમી મળેલ કે જામનગર સીટી-બી ડીવીઝન પોલીસ સ્ટેશનના કલમ 302 વિગેરેના ગુનાના કામે જામનગર જિલ્લા જેલમાં રહેલ કાચા કામનો કેદી જીલ્લાની ઇલ્યાસ જેડા (ઉ.વ.43) રહે. બેડી ઇદમસ્જીદ રોડ, જામનગરવાળો જામનગર જેલ ખાતેથી તા. 16-1-23 થી વચડાળાના જામીન પરથી ફરાર થઇ છેલ્લા 9 મહીનાથી નાસતો ફરતો હોય જે મોરબી સામા કાંઠે કાંતીનગર ખાતે રહે છે જેથી હકીકતવાળી જગ્યાએ તપાસ કરતા ફરાર આરોપી મળી આવતા તેને પકડી પાડી આગળની કાર્યવાહી માટે જામનગર જીલ્લા જેલ ખાતે સોપી આપ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application