જામ્યુકોને વિકાસકામો માટે રુા. ૧૯.૮પ કરોડની ફાળવણી

  • January 01, 2024 01:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રીની જાહેરાત: કાલાવડમાં રુા. ૮.૯૧ કરોડના ખર્ચે બનશે અદ્યતન ફાયર સ્ટેશન

રાજ્ય સરકારે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે એક જાહેરાત કરીને જામનગર કોર્પોરેશનને નવ વિકાસ કામો માટે રુા. ૧૯.૮પ કરોડની ફાળવણી કરી છે, એટલું જ નહીં લાંબા સમયથી કાલાવડ નગરપાલિકાની નવા ફાયર સ્ટેશનની માંગણી હતી, તે મંજુર કરીને પાંચ હજાર મીટર જમીનમાં રુા. ૮.૯૧ કરોડના ખર્ચે ફાયર સ્ટેશન બનાવવા જાહેરાત કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ જામનગર, જુનાગઢ જિલ્લામાં પ૧૯ વિકાસ કામો માટે રુા. ૪પપ કરોડની કુલ મંજુરી આપી છે, જો કે જામનગર શહેરને માત્ર ૧૯.૮પ કરોડ ફાળવાયા છે, જામનગર મહાનગરપાલિકાને આઉટગ્રોથ વિસ્તારના ૯ વિકાસકામો માટે આ રકમની ફાળવણી કરવામાં આવી છે.
કાલાવડ નગરપાલિકાને વિકાસના કામો અગાઉ રકમ ફાળવવામાં આવી હતી, હવે પાંચ હજાર ચોરસ મીટરમાં રુા. ૮.૬૧ કરોડની માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે, રાજ્ય સરકાર દ્વારા નગરપાલિકાઓને પણ તમામ પ્રકારની રકમ આપવામાં આવશે, આગામી દિવસોમાં જામનગર મહાપાલિકાએ પણ રુા. એક હજાર કરોડની માંગણી કરી છે, તે આપવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application