રાજકોટની ભાગોળે કુવાડવા જીઆઇડીસી પાસે આવેલા કચ્છ શોપ નામના કોસ્મેટિક ચીજ વસ્તુનું ઉત્પાદન કરનાર કારખાનામાં વહેલી સવારના આગ લાગી હોવાનો કોલ ફાયર બ્રિગેડને મળતા ટીમ તુરતં અહીં પહોંચી હતી. અહીં કારખાનાની ઓફિસમાં આગ લાગી હોય ફાયરના સ્ટાફે બે કલાક પાણીનો મારો ચલાવી આ ઓલવી નાખી હતી. આગની આ ઘટનામાં ઓફિસમાં રહેલ આઠ લેપટોપ, આઠ મોબાઇલ,પ્રીન્ટર,એસી અને ફર્નિચર સહિતનો સામાન સળગીને ખાસ થઈ ગયો હોય અંદાજિત ૩૦ થી ૩૫ લાખનું નુકસાન થયું હતું. યારે ફાયરના સ્ટાફે કારખાનામાં રહેલો ૫૦ લાખનો સામાન બચાવી લીધો હતો. શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.
આગની આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ, કુવાડવા જીઆઇડીસીમાં કચ્છ શોપ નામના કારખાનામાં વહેલી સવારે ૩:૪૫ કલાકે આગ લાગી હોવાનો કોલ ફાયર બ્રિગેડને મળતા ફાયર બ્રિગેડની ટીમ તાકીદે અહીં પહોંચી હતી. અહીં કોસ્ટમેટિક ચીજ વસ્તુઓનું ઉત્પાદન થતું હોય અને આ કારખાનાની ઓફિસમાં આગ લાગી હોવાનું માલુમ પડું હતું. ફાયરના સ્ટાફે બે કલાક પાણીનો મારો ચલાવી આગ બુજાવી દીધી હતી.
આગની આ ઘટનાને લઇ કારખાનેદાર અમરભાઈ ઠક્કર પણ અહીં હાજર હોય તેમના જણાવ્યા મુજબ, આગની આ ઘટનામાં ઓફિસમાં રાખેલ ૮ લેપટોપ,૩ એસી,પ્રીન્ટર, આઠ મોબાઇલ ફોન અને ફર્નિચર સહિતનો સામાન સળગીને ખાક થઈ જતા અંદાજિત ૩૦ થી ૩૫ લાખનું નુકસાન થયું હતું. જો કે સદનશીબે વહેલી સવારે આગ લાગી હોય કોઈ કર્મચારી ન હોવાથી જાનહાનિ થઈ ન હતી.
તદુપરાંત ફાયરના સ્ટાફે કારખાનામાં રહેલ ૫૦ લાખનો સામાન આગની ચપેટમાં આવતા બચાવી લીધો હતો. પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હોવાનું કારણ સામે આવ્યું છે
કર્મચારીના પગાર માટે રાખેલી બે લાખની રોકડ પણ સળગી ગઇ
કારખાનેદાર અમરભાઈ ઠક્કરના જણાવ્યા મુજબ,કર્મચારીના પગાર માટે કારખાનાની ઓફિસમાં રોકડ રકમ રાખી હતી. મોટાભાગના કર્મચારીઓનો પગાર થઈ ચૂકયો હતો. પરંતુ હજુ કેટલાક કર્મચારીનો પગાર બાકી હોય જે રોકડ રકમ પિયા બે લાખ અહીં ઓફિસમાં રાખી હતી. આગની આ ઘટનામાં આ બે લાખની રોકડ પણ સળગીને ખાખ થઈ ગઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીજીપી વિકાસ સહાય દ્વારા ત્રણ PIને ફરજિયાત નિવૃત્તિનો આદેશ...જાણી લો કારણ
July 04, 2024 11:53 PMઆસામમાં પૂરને કારણે અત્યાર સુધીમાં 56 લોકોના મોત, અરુણાચલમાં પણ 16 લાખથી વધુ અસરગ્રસ્ત
July 04, 2024 11:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech