રાજકોટમાં ગણેશ વિસર્જન સમયે પિતા–બે પુત્ર સાથે પાણીમાં ડૂબ્યા, પિતાનું મૃત્યુ

  • September 29, 2023 12:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં ગઇકાલે ગણેશ વિસર્જન સમયે રાવકીથી માખાવડ ગામ નજીક પાણીમાં ગરકાવ થઇ ગયેલા પિતા, બે પુત્રો પૈકી આધેડ પિતાનું મૃત્યુ નિપયું હતું. ઘટનાના પગલે પરિવારજનો તથા સાથે રહેલા અન્ય પડોશીઓ, સ્નેહીઓમાં શોક છવાઇ ગયો હતો.બનાવની પ્રા માહિતી મુજબ મવડી વિસ્તારમાં અંબીકા ટાઉન શિપ નજીક સ્થાપત્ય લાઇફ ફલેટ નં.બી–૨૦૩માં રહેતા અને વિજય પ્લોટમાં ઓટો ગેરેજ ચલાવતા દિનેશભાઇ રાજાભાઇ રામોલીયાના ઘરે ૧૦ દિવસીય ગણેશ મહોત્સવનું આયોજન કરાયું હતું. ગઇકાલે વિસર્જન હતું. જેથી દિનેશભાઇ તેના બે પુત્ર પરિવાર તેમજ ફલેટમાં રહેતા પાડોશી પરિવારો ગણેશ મુર્તિ વિસર્જન માટે રાવકીથી આગળ માખાવડ ગામ નજીક પાણી ભરેલી ઉંડી તળાવ ખાણ પાસે પહોંચ્યા હતાં.

મુર્તિ વિસર્જન કરવા પિતા–પુત્રો પાણીમાં ઉતર્યા હતાં. ત્રણેય પાણીમાં પગ મુકી જરા આગળ જતા જ સીધો ઉંડો ખાડો હોવાથી પાણીમાં ડૂબવા લાગ્યા હતાં હાજર લોકો તેમજ દેકારો થતાં એકઠા થયેલા વ્યકિતઓ સીધા પાણીમાં ઉતર્યા હતાં અને ડૂબી રહેલા બંને પુત્રોને બચાવીને બહાર કાઢયા હતાં. જયારે આધેડ દિનેશભાઇ ઉંડા પાણીમાં ગરક થઇ ગયા હતાં તેને પણ મહામહેનતે બહાર કઢાયા હતાં. બેશુધ્ધ બની ગયા હોવાથી તાત્કાલીક સારવાર અર્થે ખસેડાયા હતાં.બેશુધ્ધ હાલતમાં દિનેશભાઇનું મૃત્યુ નિપયું હતું. ઘટનાના પગલે પરિવારજનોમાં કરૂણ આક્રદં થઇ જતાં શોક છવાઇ ગયો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application