હજ પઢવા ગયેલ પૂર્વ IAS ઓફિસર જી.એચ.ખાનનુ મક્કા શરીફમાં બંદગી દરમિયાન જ થયું નિધન, લોકોમાં ઘેરો શોક

  • July 09, 2023 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ગુજરાત રાજ્ય વકફ બોર્ડના પૂર્વ સીઈઓ, હજ કમિટીના પૂર્વ સચિવ, હેલ્થ અને સ્પીપામાં કમિશનર તરીકેની યાદગાર સેવાઓ આપનાર પૂર્વ આઈએએસ ઓફિસર જી.એચ.ખાનનુ મક્કા શરીફમાં જ નિધન થયું છે. આ દુ:ખદ સમાચારથી અમદાવાદ-ગાંધીનગર સહિત રાજ્યભરમા તેમના વિશાળ ચાહકવર્ગ અને પરીવાજનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી છે. મક્કા શરીફમાં હજ યાત્રા દરમિયાન તેમના પત્નિ-પુત્રી પણ સાથે હતા.

ગાંધીનગર સ્થિત ગુજરાત રાજ્ય હજ કમીટીના મેમ્બર નાસીરખાન બ્લોચના જણાવ્યા અનુસાર અમદાવાદ ખાતેથી મક્કા શરીફ ખાતે હજ પઢવા ગયેલા પૂર્વ આઈએએસ ઓફિસર ગુલામમુસ્તુફા હમીદહુશેન ખાન ઉર્ફે જી.એચ.ખાનનુ મક્કા શરીફ ખાતે બંદગી દરમિયાન જ નિધન થયુ છે.

પૂર્વ આઈએએસ ઓફિસર જી.એચ.ખાન સ્વભાવે નિખાલસ અને મિલનસાર હતા. સૌને ઉપયોગી થવાની ઉમદા ભાવના સાથે તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન નિષ્ઠાપૂર્વક લોકોની સેવા કરી હતી.


નાસીરખાન બ્લોચના વધુમાં જણાવ્યા અનુસાર જી.એચ.ખાન અમદાવાદ ખાતેથી મક્કા શરીફ ખાતે તેમના પત્નિ-પુત્રી સાથે હજ પઢવા ગયા હતા. તેઓએ ગુજરાત રાજ્ય વકફ બોર્ડના સીઈઓ, ગુજરાત રાજ્ય હજ કમિટીના સચિવ તથા હેલ્થ અને સ્પીપાના કમિશનર તરીકે સેવાઓ આપી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application