જામનગરના કૃષ્ણનગરમાં એસ્ટેટ બ્રોકરની પત્નીનો આપઘાત

  • July 21, 2023 09:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દંપતિ વચ્ચે ઝઘડો થયા પછી લાગી આવતાં ઝેરી દવા પી મોત મીઠું કર્યું
જામનગરમાં કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી એક મહિલાએ ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી છે. પોતાના પતિ સાથે ઝઘડો થયા પછી મનમાં લાગી આવતાં આ પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.
જામનગરમાં કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા અને ફોરવ્હીલની લે-વેચનું બ્રોકર તરીકેનું કામ સંભાળતા જીતેન્દ્રસિંહ કરણસિંહ જાડેજાની પત્ની પ્રજ્ઞાબા (ઉ.વ.૩૬) એ તા. ૧૯ના રોજ પોતાના ઘેર ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીને સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં ખસેડાયા પછી તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું.
 આ બનાવ અંગે મૃતકના પતિ જીતેન્દ્રસિંહ જાડેજાએ પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝન પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
 પોલીસમાં જાહેર કરાયા અનુસાર પતિ પત્ની બંને વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા, અને બોલાચાલિ થયા પછી પત્નીને મનમાં લાગી આવતાં ઝેર પી લીધું હોવાનું જાહેર કરાયું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.
**
જામનગરમાં રીક્ષા ચાલકે ઝેરી દવા ગટગટાવી આયખુ ટુંકાવ્યું
જામનગરમાં ન્યુ ઇન્દીરા કોલોની વિસ્તારમાં રહેતા એક રીક્ષા ચાલકે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઇ આત્મા હત્યા કરી છે.
જામનગરમાં ન્યુ ઇન્દીરા કોલોની શેરી નં. ૧૦ ખાતે રહેતા અને રિક્ષા ચલાવતા પ્રવીણભાઈ ગોવિંદભાઈ ચૌહાણ નામના ૫૦ વર્ષના રીક્ષા ચાલકે મહાકાળી ચોક ખાતે ઝેરી દવા પી લેતાં તેને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા પછી ટૂંકી સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ નવીનભાઈ ગોવિંદભાઈ ચૌહાણએ પોલીસને જાણ કરતાં સીટી સી. ડીવીઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application