પોરબંદર–માણાવદર સહિત વિધાનસભાની પાંચ બેઠકની પેટા ચૂંટણીમાં મતદારોમાં ઉત્સાહ

  • May 07, 2024 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં લોકસભાની ૨૫ બેઠકોની સાથોસાથ આજે ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાઈ રહી છે. પક્ષ પલટાને કારણે આવી પડેલી આ ચૂંટણીમાં પોરબંદર માણાવદર વિજાપુર ખંભાત અને વાઘોડિયામાં કુલ ૨૪ ઉમેદવારો છે. પરંતુ ખરાખરીનો જગં તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ જોવા મળી રહ્યો છે.
પોરબંદરમાં કોંગ્રેસના રાજુભાઈ ભીમાભાઇ ઓડેદરા અને ભાજપના અર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડિયા વચ્ચે ચૂંટણી જગં લડાઈ રહ્યો છે. આ ઉપરાંત વીરો કે વીર ઇન્ડિયન પાર્ટીના અને અન્ય ત્રણ અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણી લડી રહ્યા છે. પોરબંદરની આ બેઠકમાં કુલ છ ઉમેદવારો છે.

માણાવદરમાં ભાજપના અરવિંદભાઈ ઝીણાભાઈ લાડાણી અને કોંગ્રેસના હરિભાઈ ગોવિંદભાઈ કણસાગરા અને બે અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.
વિજાપુર બેઠક પર ભાજપના ડોકટર સી. જે. ચાવડા અને કોંગ્રેસના દિનેશભાઈ તુલસીભાઈ પટેલ સહિત ૮ ઉમેદવારો મેદાન છે.ખંભાતમાં ભાજપના ચિરાગ અરવિંદભાઈ પટેલ અને કોંગ્રેસના મહેન્દ્રસિંહ પરમાર ચૂંટણી લડી રહ્યા છે. અહીં પણ બે અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે.
વાઘોડિયામાં ખરેખરો જગં જામ્યો છે. અહીં મતદારો પર ભારે પકડ અને પ્રભુત્વ ધરાવતા મધુ શ્રીવાસ્તવે ફોર્મ ભયુ હતું. પરંતુ છેલ્લી ઘડીએ તેમણે ઉમેદવારી પત્ર પાછું ખેંચી કોંગ્રેસને ટેકો આપતા અહીંનો ચૂંટણી જગં ભારે રસપ્રદ બન્યો છે. અહીં ભાજપના ધર્મેન્દ્ર સિંહ વાઘેલા અને કોંગ્રેસના કનુભાઈ પુજાભાઈ ગોહિલ વચ્ચે સીધો જગં ખેલાઈ રહ્યો છે અને અન્ય કોઈ અપક્ષ કે અન્ય પાર્ટીના ઉમેદવારો મેદાનમાં નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application