ભાવનગરમાં દુંદાળા દેવનું થયુ આગમન

  • September 07, 2024 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર શહેરમાં આજે શનિવારે ગણેશ ચતુર્થીના દિવસે શ્રીજીની શાનદાર શોભાયાત્રાઓ વાજતે-ગાજતે, ઢોલ- નગારા, ડી.જે.ના તાલે અને ગુલાલની ભરપુર ઉડતી છોળો અને ભાવિકોની ભજનો-ગીતો અને નૃત્યો સાથે નિકળી હતી. શહેરનાં ક્રેસન્ટ, ઘોઘાસર્કલ, પાનવાડી, સંસ્કાર મંડળ, તળાજા રોડ, મેઘાણી સર્કલ, સિદસર રોડ, કાળીયાબીડ, નિલમબાગ, ભાવનગર પરા, ચિત્રા સહિતના વિસ્તારોમાં ગણપતિજીની સ્થાપના પંડાલોમાં વિધિવિધાનપૂર્વક શાસ્ત્રોક્ત વિધિ સાથે કરવામાં આવી હતી. ગણેશજીની શોભાયાત્રામાં ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ગણપતિ બાપા મોર્યા-મંગલમૂર્તિ મોર્યાના નાદથી વાતાવરણમાં ગુંજારવ ફેલાવ્યો હતો. તદુપરાંત શહેરમાં હજારો લોકોએ પોતાના ઘેર ધામધુમથી અને હોંશપૂર્વક ગજાનનની સ્થાપના કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application