ખંભાળિયામાં ભારે પવનના કારણે મંદિર પરિસરના પતરા ઉડ્યા

  • June 15, 2023 10:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી: તંત્ર હરકતમાં

ખંભાળિયા પંથકમાં ગઈકાલથી પવનનું જોર ખૂબ જ વધ્યું છે. ત્યારે અહીંના ધરમપુર વિસ્તારમાં લાલપુર બાયપાસ રોડ નજીક આવેલા રાંદલ માતાજીના મંદિર પરિસરમાં ગોઠવવામાં આવેલા છાપરા તેજ પવનની ઝીંક ઝીલી શક્યા ન હતા અને આ પતરા ઊડીને રોડની એક તરફ પડતાં વ્યાપક નુકસાની થવા પામી હતી.
ખંભાળિયા શહેરના ટ્રાફિકથી ધમધમતા એવા ચાર રસ્તા નજીક એક વૃક્ષ ધરાશાયી થતા તંત્રએ દોડી જઈને આ વૃક્ષ ખસેડી, રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. આ ઉપરાંત અન્ય સ્થળોએ પણ ઝાડ તથા થાંભલા પડવાના બનાવો બન્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application