વાસ્તવમાં દેશમાં સામાન્ય ચૂંટણીની તૈયારીઓ શ થઈ ગઈ છે. ચૂંટણીની આચારસંહિતા અમલમાં છે. તો પણ કેટલીક આવશ્યક દવાઓના ભાવ વધી શકે છે. કિંમતો વધારવાનો આ નિર્ણય ૧ એપ્રિલથી લાગુ થઈ શકે છે.આ દવાઓમાં પેઇનકિલર્સ, એન્ટિબાયોટિકસ સહીત ૮૦૦ પ્રકારની દવાઓ સામેલ છે.જયારે કોઈ પણ બીમારી આવે ત્યારે તે ચિંતા વધારી દે તે સ્વાભાવિક છે જ. હવે તેમની મુશ્કેલીઓ વધી શકે છે. કારણ કે ૧ એપ્રિલથી આવશ્યક દવાઓના ભાવ વધી શકે છે. જોકે આ વધારો નજીવો હોવાનું કહેવાય છે.
ઈન્ડસ્ટ્રી નિષ્ણાતોનો શો મત છે?
ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતોનું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષેામાં કેટલીક મોટી દવાઓ બનાવવામાં ઉપયોગમાં લેવાતા ઘટકોની કિંમત ૧૫% થી ૧૩૦% ની વચ્ચે વધી છે. તેમાંથી, પેરાસિટામોલની કિંમતમાં ૧૩૦% અને એકિસપિયન્ટસની કિંમતમાં ૧૮–૨૬૨%નો વધારો થયો છે. ગ્લિસરીન અને પ્રોપીલીન ગ્લાયકોલ, સિરપ સહિતના સોલવન્ટસ અનુક્રમે ૨૬૩% અને ૮૩% મોંઘા થયા છે. મધ્યસ્થીની કિંમતોમાં પણ ૧૧% થી ૧૭૫% ની વચ્ચે વધારો થયો છે. પેનિસિલિન જી ૧૭૫% મોંઘું થયું છે.
સરકાર ફાર્માસ્યુટિકલ કંપનીઓને મંજૂરી આપવા તૈયાર
એક અહેવાલ અનુસાર, સરકાર ફાર્માસ્યુટિકલ કંપનીઓને વાર્ષિક જથ્થાબધં ભાવ સૂચકાંકમાં ફેરફાર અનુસાર ભાવ વધારવાની મંજૂરી આપવા તૈયાર છે. વધતી મોંઘવારીને જોતા ફાર્માસ્યુટિકલ ઉધોગ દવાઓના ભાવમાં વધારો કરવાની માંગ કરી રહ્યો હતો.જથ્થાબધં ભાવ સૂચકાંક માં વાર્ષિક ફેરફારને અનુપ સરકાર .૦૦૫૫% ના વધારાને મંજૂરી આપવા તૈયાર છે. જો કે, ગયા વર્ષે અને અગાઉ ૨૦૨૨ માં દવાઓની કિંમતમાં રેકોર્ડ ૧૨% અને ૧૦% નો જંગી વધારો કર્યા પછી આ એક નજીવો વધારો હશે. વર્ષમાં એકવાર દવાઓની કિંમતમાં ફેરફાર કરવાની મંજૂરી છે
આવશ્યક દવાઓ શું છે?
આ સૂચિમાં તે દવાઓનો સમાવેશ થાય છે જેનો ઉપયોગ મોટાભાગના લોકો કરે છે. આવશ્યક દવાઓની સૂચિમાં પેરાસિટામોલ જેવી દવાઓ, એઝિથ્રોમાસીન જેવી એન્ટિબાયોટિકસ, એનિમિયા વિરોધી દવાઓ, વિટામિન્સ અને ખનિજોનો સમાવેશ થાય છે
શું વધારો જરૂરી છે?
અગાઉ, ૧,૦૦૦ થી વધુ ભારતીય દવા ઉત્પાદકોનું પ્રતિનિધિત્વ કરતા એક લોબી જૂથે પણ તાત્કાલિક અસરથી ભાવ વધારવા માટે સરકાર પાસે પરવાનગી માંગી હતી. તેઓ કહે છે કે ઉધોગ વધતા ઈનપુટ ખર્ચ સાથે સંઘર્ષ કરી રહ્યો છે. જોકે, એક એનજીઓ સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે અગાઉના બે મોટા વધારા પછી આ રાહત હશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેશની રાજધાની દિલ્હીમાં કારથી કચડીને કોન્સ્ટેબલની હત્યા, અરવિંદ કેજરીવાલે કેન્દ્ર પર કર્યો હુમલો
September 29, 2024 10:11 AMદ્વારકા બરડીયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે અકસ્માત, 3 થી 4 લોકોના મોત થયાની આશંકા
September 28, 2024 09:01 PMઅમેરિકામાં 'હેલેન' વાવાઝોડાએ તબાહી મચાવી, એક મહિનાના જોડિયા બાળકો સહિત 44ના મોત
September 28, 2024 08:42 PMBCCIની બેઠકમાં IPL પર લેવાશે મોટો નિર્ણય, અધ્યક્ષ સહિત આ 3 પદો પર નિર્ણય!
September 28, 2024 08:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech