અમરેલી જિલ્લાના ધારીના દલખાણિયા ગામે ગઈકાલે ઉછીના નાણા આપવાની ના પાડતા થયેલી માથાકૂટમાં કુહાડીના ઝીંકાયેલા સામસામા ઘામાં બન્ને પક્ષે એક-એક વ્યક્તિની હત્યા થતાં નાનાએવા ગામમાં ભારે અરેરાટી સાથે ભયનો માહોલ સર્જાયો છે. વધુ કોઈ અઘટિત ઘટના ન બને તે માટે દલખાણિયા ગામમાં પોલીસ અધિકારીઓના કાફલા સાથે ચૂસ્ત જાપ્તો ગોઠવી દેવાયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ ધારીના દલખાણિયા ગામે રહેતા વિનુભાઈ સવજીભાઈ ખાખડિયા નામના વ્યક્તિ પોતાના મકાનના સ્લેબમાંથી પાણી ટપકતું હોવાના કારણે છત ઉપર પ્લાસ્ટિક બાંધવા માટે દનોરી લેવા ગામમાં દુકાને ગયેલ હતા તે અરસામાં તેજ ગામનો કમલેશ નાનજીભાઈ દાફડા નામનો યુવાન બજારમાં સામે મળેલ હતો તેમણે વિનુભાઈ પાસે ઉછીના પૈસાનદી માગણી કરેલ હતી. પરંતુ વિનુભાઈએ ઉછીના પૈસાની ના પાડતા ઉશ્કેરાયેલા યુવાન કમલેશે કુહાડીના ઉપરા-ઉપરી ઘા મારી દીધેલ હતા તેથી ગંભીર હાલતમાં સારવાર અર્થે દલખાણિયા ખસેડાયેલ હતા વધુ સારવાર અર્થે ધારી દવાખાને લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે વિનુભાઈને મૃત જાહેર કરેલ હતા.
આ ઘટનામાં હત્યારા કમલેશ પણ ઘાયલ થતાં સારવાર અર્થે અમરેલી અને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવેલ હતો. હત્યાના ઘટના સ્થળે મરણ જનાર વિનુભાઈનો પડી ગયેલ મોબાઈલ લેવા ગયેલા કેવલ ધીરુભાઈ દેલવાડિયા ઉ.વ.૧૯ નામના યુવાન પર પણ હત્યારાએ પણ કુહાડી વડે હુમલો કરી બે ઘા ઝીકી દીધેલ હતા તેમને પણ સારવાર અર્થે ધારી દવાખાને ખસેડવામાં આવેલ હતો. દવાખાનાના બિછાને હુમલાખોર હત્યારા કમલેશ નાનજીભાઈ દાફડા વિધ્ધ પોતાના કૌટુંબિક કાકાની હત્યા તેમજ પોતાની ઉપર કુહાડી વડે હુમલાની ફરિયાદ નોંધાવેલ હતી. હત્યાના આરોપી કમલેશનું પણ રાજકોટ દવાખાને સારવાર દરમિયાન મોત નિપજયું હતું. ગીર પંથકના ગામમાં ડબલ મર્ડરની ઘટનાથી ભારે ચકચાર મચી ગઈ હતી. મૃતક કમલેશ ત્રણભાઈ એક બહેનમાં બીજા ક્રમે અને કુંવારો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech