બાલવા ખાતે બાલવી માતાજીનો દિવ્ય પાટોત્સવ

  • May 06, 2023 10:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામજોધપુર તાલુકાના બાલવા ગામે બિરાજમાન બાલવી માતાજીના શુભ આગમનને 425 વર્ષ પૂર્ણ થતાં હોઈને આ મંગલમય અવસરની ઉજવણીના ભાગ રૂપે આગામી 28 મી મે ને રવિવારના રોજ બાલવી માતાજી મંદિરના સુભગ સનિધ્યમાં માતાજીના પાટોત્સવની ભવ્યતા અને દિવ્યતાપૂર્ણ ઉજવણીનું આયોજન કરવામાં આવેલ છે.

આ ધાર્મિક પ્રસંગ અંતર્ગત શોભાયાત્રા, મંદિરના શિખર પર ધ્વજારોહણ, માતાજીને નવવસ્ત્ર પરિધાન, રાસ ગરબા , નવચંડી હોમાત્મક યજ્ઞ તેમજ ધર્મસભા અને સંતો મહંતોના સન્માન સહિત ભાવિકો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ છે. કાર્યક્રમને સર્વાંગ સફળ અને યાદગાર બનાવવા માટે બાલવી માતાજી મંદિરના મહંત પરિવારના  વસંતગિરિજી તથા દિનેશગિરિજી ગોસ્વામી  જહેમત ઉઠાવી રહ્યાં છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application