ઠેબા ચોકડી, સાંઢિયા પૂલ, લાલપુર, મોરકંડા ચોકડી પાસે ક્રેશ બેરિયર્સ મુકાશે

  • November 02, 2023 10:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક મળી

જામનગર જિલ્લા કલેકટર બી.એ.શાહના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. તાજેતરમાં, આશાપુરા માતાના મઢ તરફ જતા પદયાત્રીઓને જામનગર આર.ટી.ઓ. કચેરી દ્વારા રેડિયમ સેફટી કીટ અર્પણ કરાઈ હતી, જેથી અકસ્માતનો ખતરો ટળી શકે.  
બેઠકમાં થયેલી ચર્ચા મુજબ કલેકટરે જણાવ્યું હતું કે, જામનગર શહેર વિસ્તારમાં અત્યારે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે. સાત રસ્તા, ગુરુદ્વારા ચોકડી, સયાજી હોટેલ અને અંબર ચોકડી પાસે રેડિયમ ટેપ, ડિવાઈડર અને નો પાર્કિંગના બોર્ડ લગાવવામાં આવ્યા છે. જનજાગૃતિના ૧૯ કાર્યક્રમોમાં ૨૨૨૩ જેટલા લાભાર્થીઓને ટ્રાફિકના નિયમોથી માહિતગાર કરવામાં આવ્યા છે. ઠેબા ચોકડી, સાંઢિયા પૂલ, લાલપુર ચોકડી અને મોરકંડા ચોકડી પાસે રોડનું રિસર્ફેસિંગ કામ, થર્મોપ્લાસ્ટ માર્કિંગ, ફીલિંગ વર્ક અને ક્રેશ બેરિયર્સ મુકવાનું કામ કરવામાં આવશે. જામનગર-લાલપુર હાઈવે પર રેડિયમ સ્ટ્રીપ્સ અને સ્ટ્રીટ લાઇટ્સ મુકવામાં આવશે.  
ઉક્ત બેઠકમાં, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હારુન ભાયા, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, જિલ્લા શિક્ષણધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ અન્ય વિભાગના અધિકારીગણ હાજર રહયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application